Politics News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની દારૂ નીતિ કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. પહેલા EDએ કેજરીવાલની પૂછપરછ કરી અને પછી ધરપકડ કરી. કહેવામાં આવી રહ્યું છે કે EDએ કેજરીવાલને 9 વખત સમન્સ મોકલ્યા હતા પણ તેઓ હાજર જ નહોતા થતાં. હવે કેજરીવાલની ધરપકડને લઈને વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભાજપ સરકાર પર હુમલો કરવામાં આવ્યો છે. આ દરમિયાન કેજરીવાલની સંપત્તિને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
કેજરીવાલની કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો 3.44 કરોડ રૂપિયા છે. તેમની પાસે 12 હજાર રૂપિયા અને પત્ની પાસે 9 હજાર રૂપિયા રોકડા છે. પરિવારના 6 બેંક ખાતા છે. જેમાં કુલ 33.29 લાખ રૂપિયા જમા છે. 2020ના એફિડેવિટની વાત કરીએ તો કેજરીવાલની પત્ની પાસે 32 લાખ રૂપિયાનું 320 ગ્રામ સોનું અને 40 હજાર રૂપિયાની કિંમતનું એક કિલો ચાંદી હતું. પત્નીના નામે 15.31 લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં જમા છે. પત્નીના નામે 6.20 લાખ રૂપિયાની મારુતિ બલેનો છે.
કેજરીવાલ કરોડોની કિંમતના આલીશાન બંગલામાં રહે છે
અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલના નામે એક કરોડ રૂપિયાનો આલીશાન બંગલો પણ છે. તે ગુરુગ્રામ, હરિયાણામાં આવેલો છે. આ ઘર વર્ષ 2010માં લગભગ 60 લાખ રૂપિયાની કિંમતે ખરીદાયું હતું. જેની કિંમત 2020માં એક કરોડની આસપાસ પહોંચી ગઈ હતી.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
કેજરીવાલ પર કોઈ દેવું નથી. અરવિંદ કેજરીવાલ પર કોઈ બેંકનું પણ દેવું નથી. તેમની પત્નીના પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં 13 લાખ રૂપિયા જમા છે.