Business News: કરદાતાઓની સુવિધા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ શનિવાર અને રવિવારે પણ બેંકો ખોલવાની સૂચના આપી છે. RBIએ 30-31 માર્ચના રોજ તમામ બેંક શાખાઓ અને સરકારી કામકાજ સંબંધિત તમામ ઓફિસો ખોલવાનો નિર્દેશ આપ્યો છે. ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ હોવાથી શનિવાર-રવિવારે પણ બેંકોને ખુલ્લી રાખવા સૂચના આપવામાં આવી છે. આરબીઆઈના આદેશને પગલે દેશભરની બેંકો નાણાકીય વર્ષના છેલ્લા બે દિવસ એટલે કે 30મી અને 31મી માર્ચે સામાન્ય કામકાજના કલાકો મુજબ ખુલ્લી રહેશે. પરંતુ લોકોના મનમાં પ્રશ્ન એ છે કે શું તેઓ તે દિવસે બેંકિંગ સેવાઓનો લાભ લઈ શકશે?
30-31 માર્ચે બેંકો ખુલશે
30મી અને 31મી માર્ચે શનિવાર અને રવિવાર છે. સામાન્ય રીતે બેંકો અને સરકારી કચેરીઓ બંધ રહે છે, પરંતુ કરદાતાઓની સુવિધા માટે આરબીઆઈએ આ શનિવાર-રવિવારે તેને ખુલ્લું રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી સરકારી ખાતાઓનું વાર્ષિક નાણાકીય વર્ષ એકાઉન્ટ બંધ કરી શકાય. બાકી વિભાગીય કામકાજ પૂર્ણ કરવા માટે સમગ્ર ભારતમાં તમામ આવકવેરા કચેરીઓ સપ્તાહના અંતે પણ ખુલ્લી રહેશે.
કઈ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ થશે?
જો તમે આ મહિનાના અંતમાં ટેક્સ સંબંધિત કોઈ કામ કરવાનું વિચારી રહ્યા છો, તો સપ્તાહાંત હોવા છતાં આ વખતે બેંકો અને આવકવેરા કચેરીઓ 30-31 માર્ચે ખુલ્લી રહેશે. RBIના નોટિફિકેશન મુજબ આ દિવસે માત્ર એજન્સી બેંકો જ ખુલ્લી રહેશે. તમને જણાવી દઈએ કે એજન્સી બેંકો એવી બેંકો છે જે સરકારી રસીદો અને ચુકવણીઓનું સંચાલન કરવા માટે અધિકૃત છે. આ યાદીમાં 12 સરકારી અને 20 ખાનગી બેંકો સામેલ છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
ભારતમાં આવેલું છે એક ચમત્કારિક તળાવ, માત્ર સ્નાન કરવાથી ચામડીના રોગો મટી જાય, લોકોની લાઈન લાગે
30 અને 31 માર્ચે સ્પેશિયલ ક્લિયરિંગ ઓપરેશન
RBI અનુસાર 31 માર્ચ, 2024ની મધ્યરાત્રિ સુધી NEFT અને રિયલ ટાઈમ પેમેન્ટ RTGS દ્વારા વ્યવહારો કરી શકાશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, સરકારી ચેકની પતાવટ કરવામાં આવશે. આ માટે 30 અને 31 માર્ચ 2024ના રોજ ખાસ ક્લિયરિંગ ઓપરેશન હાથ ધરવામાં આવશે. 31 માર્ચની રિપોર્ટિંગ વિન્ડો 1 એપ્રિલ 2024 ના રોજ બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.