રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દિનિયા આખી ચિંતામા મુકાઈ છે. રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી પોલેન્ડમાં જઈ રહ્યા છે. આ વચ્ચે ભારતીયોની સેવામાં BAPS સ્વામિનારાયણ સંસ્થા ફરી એકવાર આગલ આવી છે. આ માટે વડાપ્રધાન મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ પર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા કહ્યુ હતુ. કાલે BAPS સ્વામિનારાયણ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવક સરહદ પર પહોંચ્યા અને પેરિસ અને સ્વીઝરલેન્ડથી સતત ૨૨ કલાકનું ડ્રાઈવ કર્યુ હતુ.
મળતી માહિતી મુજબ મોબાઈલ કિચન વાન સાથે બીએપીએસના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં માટે પહોચ્યા હતા. તેમણે સરેરાશ 800થી 1000 લોકોને શાકાહારી ગરમ ભોજન આપ્યુ.
કહેવામા આવી રહ્યુ છે કે વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં ૪૦ થી ૫૦ કિલોમીટર અંતર ચાલીને અહીં સુધી પહોંચ્યા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે ત્યાંની પ્રસિદ્ધ હોટલોમાં કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરવામા આવી હતી.
આ અગાઉ પણ વિશ્વમાં જ્યારે જ્યારે પણ આવી પ્રકૃતિ કે માનવ સર્જિત આપત્તિઓ આવી પડે ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને BAPS સ્વામિનારાયણ સંસ્થા હંમેશા લોકોને મદદ એ આવી પહોંચે છે. આ વખતે પણ પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ BAPS સ્વામિનારાયણ સંસ્થાની ટાણાની સેવાથી રાહતનો અનુભવ કરીને વિદ્યાર્થીઓ અને ભારતમાં વસતા તેમના પરિવારજનો સંસ્થાના સ્વયંસેવકોનો હદયપૂર્વક આભાર માની રહ્યા છે.