Odisha Train Accident: ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે યુદ્ધના ધોરણે રેલ ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે. દરમિયાન, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બાલાસોર જિલ્લાના બહાનાગા પાસે ટ્રેન અકસ્માતની સીબીઆઈ તપાસની જાહેરાત કરી છે. અશ્વિની વૈષ્ણવે રેલ સદન, ભુવનેશ્વર ખાતે મીડિયા સાથે વાત કરતા CBI તપાસ અંગે માહિતી આપી હતી. શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોર અને ભદ્રક સ્ટેશન વચ્ચે બહાનાગા ખાતે ત્રણ ટ્રેનો અથડાતાં આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 175થી વધુ રેલ્વે મુસાફરોના મોત અને 1000થી વધુ ઘાયલ થયાની માહિતી સામે આવી છે. રેલ્વે, પોલીસ અને ટેકનિકલ વિભાગની ઘણી ટીમ સદીના આ સૌથી ભયાનક ટ્રેન અકસ્માતની તપાસ કરી રહી છે. આ સાથે તેની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ટ્રેન દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે.
રેલવે બોર્ડની બેઠકમાં CBI તપાસનો નિર્ણય
રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલ્વે બોર્ડે આ ટ્રેન દુર્ઘટનામાં જે સંજોગો સામે આવ્યા છે તેની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ અકસ્માતનું સત્ય બહાર આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે અમે ભદ્રક હોસ્પિટલમાં દર્દીઓને મળ્યા. લગભગ તમામ ઘાયલો તેમના સ્વજનોના સંપર્કમાં છે. ડોક્ટર અને સ્ટાફ ઘાયલોની સારવાર કરી રહ્યા છે. ટ્રેક રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે.
આ પણ વાંચો
‘ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાનું અસલી કારણ ખબર પડી ગઈ’, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપ્યું મોટું નિવેદન
પીએમ મોદીએ કહ્યું હતું કે, દોષિતોને કડક સજા મળશે
એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનામાં જે લોકો દોષિત છે તેમને સખતમાં સખત સજા મળશે. તે જ સમયે, વિપક્ષ સતત અકસ્માતને લઈને રેલવે મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યો છે. દરમિયાન, સીબીઆઈ તપાસની ભલામણને રેલવે દ્વારા મોટો નિર્ણય માનવામાં આવે છે.