કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લઈને ગ્રાહકોને મોટી રાહત આપી છે. આ રાહત તે લોકોને આપવામાં આવશે જેઓ મોબાઈલ અને ટીવી જેવા નવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરીદવા ઈચ્છતા હતા. એવી અપેક્ષા હતી કે ઈલેક્ટ્રોનિક સાધનોની ખરીદી પર જીએસટી દર ઘટશે અને આવું થયું છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય અનુસાર મોબાઈલ અને ટીવીની ખરીદી પરના જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
અગાઉ મોબાઈલ અને ટીવીની ખરીદી પર 31.3 ટકા જીએસટી લાગતો હતો જે હવે સરકારે 12થી વધારીને 18 ટકા કરી દીધો છે. આમ, મોબાઈલ અને ટીવી ખરીદવું પહેલા કરતા 19 ટકા સસ્તું થઈ જશે. આ નવો GST દર 1 જુલાઈ 2023થી અમલમાં આવ્યો છે.
ટીવી-મોબાઈલ ખરીદવા પર આટલા પૈસાની બચત થશે
પહેલા 27 ઈંચના ટીવીની કિંમત 32,825 રૂપિયા હતી, પરંતુ હવે યુઝર્સને તેના માટે 29,500 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે 27 ઇંચ કરતા મોટો ટીવી ખરીદો છો, તો તમારે હજુ પણ 32,825 રૂપિયા ચૂકવવા પડશે. એ જ રીતે, 1 જુલાઈ પહેલા એક સ્માર્ટફોનની કિંમત 32,825 રૂપિયા હતી, પરંતુ હવે તમારે તે જ સ્માર્ટફોન માટે 28,999 રૂપિયા ચૂકવવા પડશે.
કેન્દ્ર સરકારે GSTની છઠ્ઠી વર્ષગાંઠે 1 જુલાઈ 2023ના રોજ ટીવી અને મોબાઈલ પર 27 ઈંચ સુધીના ટેક્સના દરમાં સુધારો કર્યો છે. નાણા મંત્રાલયના સત્તાવાર ટ્વિટર હેન્ડલ અનુસાર, સરકારે મોબાઈલની ખરીદી પર ગ્રાહકોને 31.3 ટકાના બદલે 12 ટકા ટેક્સ ચૂકવવાની જાહેરાત કરી છે.
આ જ રાહતો સાથે, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ગીઝર, પંખા, કુલર, એલપીજી સ્ટોવ અને અન્ય ઘરેલું ઉપકરણો જેમ કે મિક્સર, જ્યુસરની ખરીદી પર 18 ટકાને બદલે 12 ટકા ટેક્સ લાગશે. આ સિવાય એલઇડી પર 12 ટકાના બદલે 12 ટકા ટેક્સ લાગુ થશે. વેક્યૂમ ક્લીનર્સ અને યુપીએસ પરનો GST દર પણ 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.