મોંઘા બટેટા જેવી દેખાતી વેરાયટી હવે દેશના અનેક શહેરોમાં બજારમાં ઉપલબ્ધ છે. આમાં અસલી અને નકલી ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે. આ નકલી બટાકાથી બજાર છલકાઈ ગયું છે. બજારમાં ‘હેમાંગીની’ અથવા ‘હેમાલિની’ બટેટા ચંદ્રમુખી (Chandramukhi Potatoes)ના ભાવ વેચાઈ રહ્યા છે. જે ચંદ્રમુખી જેવા લાગે છે, પરંતુ સ્વાદ સંપૂર્ણપણે અલગ છે. પરંતુ જો તમે તેમને બાજુમાં રાખો તો એ સમજવું મુશ્કેલ બની જાય છે કે કયા ચંદ્રમુખી છે અને કયા હેમાંગીની બટેટા.
ચંદ્રમુખી બટાટા અત્યારે બજારમાં 20 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. બીજી તરફ હેમાંગીની બટાકાનો ભાવ 10 થી 12 રૂપિયા પ્રતિ કિલો છે. જોકે, ઘણા વેપારીઓ હેમાંગીની બટાકાને ચંદ્રમુખી બટાકા તરીકે બજારમાં વેચી રહ્યા છે. પરિણામે ખરીદદારો મુશ્કેલીમાં મુકાયા છે. હુગલી એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ સોસાયટીના સભ્યએ જણાવ્યું કે હેમાંગીની બટાકા મૂળભૂત રીતે બટાકાની મિશ્ર જાત છે. આ બટાકાની ખેતી પંજાબ અને જલંધરના જુદા જુદા ભાગોમાં થાય છે. આ બટાકાના બીજ અન્ય રાજ્યોમાંથી બંગાળમાં આવે છે.
આ બટાકાની ખેતી હુગલીમાં પણ અલગ-અલગ જગ્યાએ થાય છે. બટાકાની આ ખેતીમાં ઉપજ વધુ મળે છે. જ્યારે પ્રતિ વિઘા ચંદ્રમુખી બટાકાની 50 થી 60 બોરીનું ઉત્પાદન થાય છે, ત્યારે આ બટાકાનું ઉત્પાદન 90 થી 95 બોરી જેટલું થાય છે. જો કે આ બટાકાનો ઉત્પાદન દર વધારે છે, પરંતુ બજારમાં આ બટાકાની માંગ ઘણી ઓછી છે. તેની પાછળ એક મોટું કારણ છે કે આ બટાટા બરાબર રંધાતા નથી. વળી, ખાવામાં પણ તેમનો સ્વાદ સારો નથી હોતો. હુગલી જિલ્લા કૃષિ અધિકારી મનોજ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, “શહેરી વિસ્તારના લોકો માટે બહારથી હેમાંગીની બટાકા અને ચંદ્રમુખી બટાકા વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે.”
હેમાંગીની બટાટા ચંદ્રમુખી બટાકા સાથે ક્રોસ બ્રીડીંગ દ્વારા બનાવવામાં આવે છે. આ બટાટા હાઇબ્રિડ હોવાથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તેની ખેતી કરી શકાય છે. આ બટાટા હુગલી જિલ્લાના પુરશુરા અને તારકેશ્વર વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. ચંદ્રમુખી બટાટા જે ઉગાડવામાં ત્રણથી ચાર મહિનાનો સમય લે છે, જ્યારે આ હાઇબ્રિડ બટાકા દોઢથી બે મહિનામાં ઉગે છે.
મહાશિવરાત્રી 2023: 7 સદીમાં પ્રથમવાર દુર્લભ સંયોગ, 5 મહાયોગમાં થશે શિવપૂજા, નવા કાર્યો માટે શુભ
ભીમાશંકર જ્યોતિર્લિંગનું છે ખાસ રહસ્ય? આ માટે ખુદ ભગવાન શિવ અહીં પ્રગટ થયા હતા, જાણો આખી કથા
ખેડૂતો આ બટાટાની ખેતી સિઝનમાં બે વાર કરી શકે છે. ઘણા વેપારીઓ હેમાંગીની બટાટાને ચંદ્રમુખી બટાકા તરીકે વેચી રહ્યા છે. ગામલોકોને મૂર્ખ બનાવવું બહુ સહેલું નથી, કારણ કે તેઓ ખેતી સાથે સંકળાયેલા છે અને બટાટાને દૃષ્ટિથી ઓળખે છે. જો કે શહેરી વિસ્તાર કે ઝૂંપડપટ્ટીના લોકોને આસાનીથી મૂર્ખ બનાવીને ધંધાર્થીઓ પોતાનો ધંધો ચાલુ રાખી રહ્યા છે.