India News: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે જ સમયે રામ લાલાના અભિષેક પહેલા જ ફ્લાઈટનું ભાડું પણ સાતમા આસમાને પહોંચી ગયું છે. અયોધ્યાની ફ્લાઈટના ભાડા ઘણા ઈન્ટરનેશનલ રૂટની ફ્લાઈટ કરતા વધુ થઈ ગયા છે, જેના કારણે હવે અયોધ્યા જવુ સિંગાપોર અને બેંગકોક જવા કરતા મોંઘુ થઈ ગયું છે.
વાસ્તવમાં 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પ્રવાસીઓ શહેરમાં આવવાનું શરૂ કરી દીધું છે. તેની અસર હોટલ, ટ્રેન અને હવે ફ્લાઇટના ભાડા પર પડી રહી છે. 19 જાન્યુઆરીની મુંબઈથી અયોધ્યાની ટિકિટ ચેક કરવા પર ઈન્ડિગોની ફ્લાઈટનું ભાડું 20,700 રૂપિયા બતાવવામાં આવ્યું છે. તેવી જ રીતે 20 જાન્યુઆરીની ફ્લાઈટનું ભાડું પણ 20 હજાર રૂપિયાની આસપાસ હોવાનું જણાય છે. લગભગ તમામ એરલાઈન્સ કંપનીઓની આવી જ હાલત છે.
એક રિપોર્ટ અનુસાર અયોધ્યા માટે ફ્લાઈટનું ભાડું ઘણા ઈન્ટરનેશનલ રૂટના ભાડા કરતા વધારે છે. 19 જાન્યુઆરીની જ મુંબઈથી સિંગાપોરની ફ્લાઈટ ચેક કરવા પર એર ઈન્ડિયાની સીધી ફ્લાઈટનું ભાડું 10,987 રૂપિયા બતાવવામાં આવ્યું છે. એ જ રીતે, 19 જાન્યુઆરીએ મુંબઈથી બેંગકોકની સીધી ફ્લાઈટનું ભાડું 13,800 રૂપિયા જોવામાં આવે છે.
માફી.. માલદીવના પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ માગી માફી, કહ્યું- ભારત વિના અમે આગળ વધી શકીએ એમ નથી
માલદીવને ભારતનો ગુસ્સો ભારે પડશે, EaseMyTrip એ તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કર્યા, હવે કરશે મોટું કામ
મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યામાં અનેક પ્રકારની ધંધાકીય ગતિવિધિઓમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં સંભવિત માંગ અને વિશાળ પ્રવાસન બજારની અપેક્ષાએ ઘણી કંપનીઓ તૈયારીઓ કરી રહી છે. હોસ્પિટાલિટી ફર્મ ઓયોના સ્થાપક રિતેશ અગ્રવાલે એક અઠવાડિયા પહેલા કહ્યું હતું કે લોકો અયોધ્યા માટે મોટા પાયે હોટલ શોધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ગોવા જેવા પ્રવાસન સ્થળો અયોધ્યાથી પાછળ રહી ગયા છે.