માવઠાંએ મારી નાખ્યા, વીજળી પડવાથી 4 કુણા માખણ જેવા બાળકોના મોત, પરિવારના આક્રંદથી આંતરડી કકળી ઉઠશે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

ઝારખંડના ગામમાં વીજળી પડવાથી ચાર બાળકોના મોત થયા છે. બનાવને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનામાં એક બાળકી પણ દાઝી ગઈ હતી.ઝારખંડના સાહિબગંજ જિલ્લામાં એક દર્દનાક ઘટના બની છે. વીજળી પડવાથી 4 બાળકોના મોત થયા છે. જ્યારે એક બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બનાવને પગલે ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. બંને બાળકો એક જ પરિવારના હોવાનું બહાર આવ્યું છે. મૃતકોમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે.

વાસ્તવમાં આ ઘટના રાધાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના બાબુ ટોલા ગામની છે. ગામના રહેવાસી હુમાયુ શેખના ત્રણ બાળકો, 14 વર્ષની આયેશા ખાતુન, નઝરૂલ ઈસ્લામ (7), નસનારા ખાતુન (6) ઘરની બહાર હાજર હતા. તેમની સાથે અશરફુલ શેખનો 6 વર્ષનો પુત્ર ઝાહીદ આલમ અને મહેબૂબ આલમનો 10 વર્ષનો પુત્ર તૌકીર આલમ ઘરની બહાર હતા.

અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી આખું રાજ્ય ફફડી ગયું, 8 મેના રોજ ગુજરાતમાં આવશે ખતરનાક આંધી

ઓવરટાઇમ માટે સીધા ડબલ પૈસા! કામના કલાકો નક્કી, કર્મચારીઓને આપવી પડશે આ સુવિધાઓ, આ રાજ્યએ કર્યો નવો નિમય

આ વખતે તલાટીની પરીક્ષામાં કોઈ ઘાલમેલ નહીં થાય, આ વાતોનું ખાસ ધ્યાન રખાશે, બે કલાક પહેલા ઉમેદવારોનું સઘન ચેકિંગ

બપોર બાદ ગામમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ દરમિયાન જોરદાર પવન ફૂંકાયો હતો અને આકાશમાં વીજળીનો ગડગડાટ થયો હતો. તે દરમિયાન આ બાળકો પર વીજળી પડી હતી. પરિણામે ચાર બાળકોના મોત થયા હતા અને 6 વર્ષની નસનરા ખાતુન દાઝી ગઈ હતી.ગામમાં હોબાળો મચી ગયો. બનાવને પગલે ગામમાં હોબાળો મચી ગયો હતો. નસનારાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ગામમાં શોકનો માહોલ છે.


Share this Article
TAGGED: ,