ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને વીડિયો સ્ટ્રીમિંગ યુટ્યુબની આકરી ભાષામાં ઝાટકણી કાઢી છે. સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને ડીપ ફેક અને ફેક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે ચેતવણી આપી છે. કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે બંધ બારણે મળેલી બેઠકમાં સોશિયલ મીડિયા કંપનીઓને ફેક ન્યૂઝ અને ડીપફેક સામે કડક પગલાં ન લેવાની ચેતવણી આપી છે. ડીપફેક વીડિયનો કારણે બોલિવૂડની જાણીતી સેલિબ્રિટીઓનું જાહેરમાં વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. જેના કારણે એમની ઈમેજ બગડી છે.
કેન્દ્રીય IT મંત્રી રાજીવ ચંદ્રશેખરે બંધ બારણે મળેલી બેઠકમાં સોશિયલ મીડિયા કંપનીઓને ફેક ન્યૂઝ અને ડીપ ફેક સામે કડક કાર્યવાહી ન કરવા બદલ આકરી ભાષામાં ચેતવણી આપી દીધી છે. સરકારે અગ્રણી સોશિયલ મીડિયા કંપનીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં તેણે તમામ સોશિયલ મીડિયા કંપનીઓને એક સપ્તાહની અંદર કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે, જે અંતર્ગત, સોશિયલ મીડિયા નિયમો 2022 મુજબ, બાળકો માટે જોખમી એવા તમામ સોશિયલ મીડિયા પર તેમના પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે. સામગ્રી અને ડીપફેક્સ જેવી બાબતોમાં કડક વલણ અપનાવવું જોઈએ
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે સરકાર ડીપફેકની સમસ્યાનો સામનો કરવા માટે કામ કરી રહી છે. એ પણ કહ્યું કે AIની મદદથી ફેલાતા ફેક ન્યૂઝને રોવાની જરૂર છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર એવા પ્લેટફોર્મ્સ સામે કડક કાર્યવાહી કરશે જે ફેક ન્યૂઝ ફેલાવે છે. આ માટે સરકાર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે. તાજેતરમાં પીએમ મોદીએ ડીપફેકનો મુદ્દો ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ જી-20 મીટિંગમાં ડીપફેકના જોખમો અને એઆઈના નિયમન પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.ડીપફેક વીડિયો મામલે પહેલા રશ્મિકા, પછી કાજોલ અને છેલ્લા આલિયા ભટ્ટ જેવી સેલેબ્સ આ વીડિયોના શિકાર બન્યા હતા. જોકે, કેટરિના કૈફનું નામ પણ આમા સામિલ છે.