હવે લોન પર ઘર લેવુ બન્યુ વધારે મોંધુ, રિઝર્વ બેંકે રેપો રેટ વધતા HDFC બેંકે લોનના વ્યાજમાં કર્યો વધારો

Lok Patrika
By Lok Patrika
Share this Article

રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો ઝીંક્યા બાદ હવે એક પછી એક બેંકો પણ હોમલોનનાં વ્યાજ વધારવા લાગી છે. દેશની સૌથી મોટી ખાનગી એનબીએફસી ગણાતી એચડીએફસીએ પણ હવે હોમલોનના વ્યાજ દરમાં વધારો જાહેર કર્યો છે. જે ૦૯ મે ૨૦૨૨થી લાગુ પડી જશે. એચડીએફસીના એક નિવેદન અનુસાર, હોમ લોનના વ્યાજ દરમાં ૦.૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર તમામ લોનધારકોને લાગુ પડશે.

વ્યાજનો દર વધવાથી હોમ લોનના ઈએમઆઈમાં પણ વધારો થશે, જાે ઈએમઆઈ યથાવત રહે તો હોમલોનનો સમયગાળો લંબાઈ જશે. એચડીએફસીના જણાવ્યા અનુસાર, હાઉસિંગ લોનના રિટેઈલ પ્રાઈમ લેન્ડિંગ રેટ (આરપીએલઆર)માં વધારો થતાં એડજસ્ટેબલ રેટ હોમ લોન્સ (એઆરએચએલ)ના બેન્ચમાર્કમાં ૦.૩૦ ટકાનો વધારો થશે, જે ૦૯ મેથી લાગુ પડી જશે. નવા દર સાથે એચડીએફસીની હોમ લોનના વ્યાજ દર ૭ ટકાથી ૭.૪૫ ટકાની રેન્જમાં શરુ થશે.

એચડીએફસીએ થોડા દિવસ પહેલા જ વ્યાજ દરમાં ૦.૦૫ ટકાનો વધારો કર્યો હતો જે ૦૧ મેથી લાગુ કરાયો હતો. જાેકે, હાલમાં જ આરબીઆઈએ અચાનક જ રેપો રેટમાં વધારો કરતાં બેંકે તેની અસર રુપે હોમલોનના રેટ વધારી દીધા છે. આરબીઆઈએ ૦૪ મેના રોજ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કરીને તેને ૪ ટકાથી ૪.૪૦ ટકા કર્યો હતો. ત્યારથી જ મનાઈ રહ્યું હતું કે હવે વિવિધ એનબીએફસી તેમજ બેંકો હોમ લોનના વ્યાજ દરમાં પણ ગણતરીના દિવસોમાં જ વધારો ઝીંકશે.

આરબીઆઈ રેપો રેટ ઘટાડે ત્યારે તેનો લાભ ગ્રાહકોને આપવામાં બેંકો ઘણો સમય લગાવી દેતી હોય છે, અને મોટાભાગના કેસમાં રેપો રેટમાં થયેલા ઘટાડા અનુસાર લોનના વ્યાજદરમાં ભાગ્યે જ ઘટાડો થતો હોય છે. જાેકે, રેપો રેટના વધારા બાદ બે-ચાર દિવસમાં જ ઘણી બેંકોએ વ્યાજ દર વધારી દીધા છે. એચડીએફસી પહેલા બેંક ઓફ બરોડા અને આઈસીઆઈસીઆઈ પણ હાઉસિંગ સહિતની લોનના વ્યાજ દર વધારી ચૂકી છે.

આ સિવાય સેન્ટ્રલ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ પણ વ્યાજ દરમાં ૦.૪૦ ટકાનો વધારો કર્યો છે. બેંકો હોમ લોનનો વ્યાજ દર વધારે ત્યારે જરુરી નથી કે તમારો ઈએમઆઈ પણ તેની સાથે જ વધી જાય. મોટાભાગના કેસમાં બેંક ઈએમઆઈમાં ફેરફાર કરવાને બદલે લોનના સમયગાળામાં એડજસ્ટમેન્ટ કરી દેતી હોય છે.

સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ તો, ધારો કે તમારી ૨૦ લાખ રુપિયાની હોમ લોન અત્યારસુધી ૬.૮૫ ટકા વ્યાજ દરે ચાલે છે, જેનો સમયગાળો ૨૦ વર્ષનો છે. આ લોનનો ઈએમઆઈ ૧૫,૩૨૬ રુપિયા થાય. હવે જાે વ્યાજ દર ૦.૩૦ ટકા વધીને ૭.૧૫ ટકા થઈ જાય, અને જાે તેનો સમયગાળો તે જ રાખવામાં આવે તો તમારે હવે ૧૫,૬૮૭ રુપિયાનો ઈએમઆઈ ભરવો પડશે. બીજી તરફ, જાે તમારે ઈએમઆઈ યથાવત રાખવો હોય તો તમારી લોનનો સમયગાળો એકાદ વર્ષ જેટલો વધી જશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly