હદ છે હોં બાકી: નવી નકોર પરણેલી પત્નીએ પતિ પાસેથી વોશરૂમ જવા માટે 10 રૂપિયા માંગ્યા, પછી પ્રેમી સાથે ફુરરર થઈ ગઈ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

યુપીના મિર્ઝાપુરમાં લગ્ન બાદ મા વિંધ્યવાસિની મંદિરે દર્શન કરવા આવેલી નવી વહુએ તેના સાસરિયાઓને છેતરીને પ્રેમી સાથે ભાગી ગઈ હતી. વોશરૂમમાં ગયેલી દુલ્હન લાંબા સમય સુધી પરત ન આવતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યારે તેણી ન મળી ત્યારે પતિ વિંધ્યાચલ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસની મદદ માંગી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે કન્યા મંદિરથી પગપાળા પટેંગરા નાળા તરફ ગઈ હતી.

વોશરૂમ જવાના બહાને 10 રૂપિયા માંગ્યા

ત્યારબાદ તે તેના પ્રેમી સાથે લાલ રંગની બાઇક પર ભાગી ગઇ હતી. તેના ભાગી જવાની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જૌનપુરના એક યુવકના લગ્ન 10 ફેબ્રુઆરી 2023ના રોજ આઝમગઢની એક યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીયાઓ નવદંપતીને 19 ફેબ્રુઆરીના રોજ મા વિંધ્યવાસિની મંદિરમાં દર્શન કરવા લઈ ગયા હતા.

નવી વહુ સાસરિયાઓને છેતરીને પ્રેમી સાથે ભાગી ગઈ

દર્શન કર્યા બાદ પરિવારના સભ્યો ભોજન કરવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન કન્યાએ તેના પતિ પાસે વોશરૂમ જવા માટે 10 રૂપિયા માંગ્યા. આ પછી તે એકલી મંદિરની બહાર આવી. લાંબા સમય બાદ પણ કન્યા પરત ન આવતા પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. બધાએ કન્યાને શોધવાનું શરૂ કર્યું. પરંતુ, લાંબા સમય સુધી શોધ કર્યા પછી જ્યારે કન્યા મળી ન હતી ત્યારે પતિ વિંધ્યાચલ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી.

સીસીટીવી કેમેરામા કેદ થઈ ગઈ આખી ઘટના

પોલીસે મંદિરમાં આવીને વિસ્તારની તપાસ કરી હતી. ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા. જેમાં દુલ્હન પટેંગરા નાળા તરફ ચાલતી જોવા મળી હતી.સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક પહેલાથી જ બાઇક લઈને ગટર પાસે ઉભો હતો. યુવક પાસે ગયેલી પરિણીતાએ તેની સાથે વાત કર્યા બાદ તેની સાથે બાઇક પર બેસીને ભાગી ગઈ.

Breaking: અડધા લાખ મોત બાદ આજે ફરી તુર્કી-સીરિયામાં ભૂકંપના મોટા-મોટા આંચકા, ફરી ચારેકોર બતાહી મચી ગઈ

બદ્રીનાથ અને કેદારનાથ જનારા ખાસ વાંચી લેજો, એમનેમ જતાં રહ્યા તો કોઈ એન્ટ્રી નહીં આપે, દર્શન વગર જ પાછા ફરવું પડશે!

આ મંદિરના રોજ સવારે દર્શન માત્રથી તમને આજીવન કોઈ બિમારી નહીં થાય, ગરીબીનો પણ થશે સર્વનાશ

કેસ અંગે કોતવાલી વિંધ્યાચલના એસએચઓ અતુલ રાયનું કહેવું છે કે યુવકે તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તે બાઇક પર યુવક સાથે ભાગી ગઈ હતી. પરિવાર તરફથી પોલીસને કોઈ લેખિત ફરિયાદ કરવામાં આવી નથી. જો લેખિત ફરિયાદ કરવામાં આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે દુલ્હન જેની સાથે ભાગી ગઈ તે યુવક તેનો પ્રેમી છે.


Share this Article