યુક્રેનની રાજધાની કિવની સ્થિતિ બગડી રહી છે. આ દરમિયાન ત્યાં ફસાયેલા ભારતીયોને કડક સલાહ આપવામાં આવી છે કે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓએ શક્ય તેટલી વહેલી તકે કિવ છોડી દેવું જોઈએ. કિવમાં દૂતાવાસ દ્વારા ભારતીયોને જારી કરવામાં આવેલી ઈમરજન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં તરત જ શહેર છોડી દેવું જોઈએ.
ભારતીય દૂતાવાસે તેની એડવાઈઝરીમાં કહ્યું, ‘કિવમાં ભારતીયો માટે સલાહ… વિદ્યાર્થીઓ સહિત તમામ ભારતીય નાગરિકોને આજે તાત્કાલિક અસરથી કિવ છોડી દેવાની સલાહ આપવામાં આવે છે. પહેલેથી જ ઉપલબ્ધ ટ્રેનો દ્વારા અથવા અન્ય કોઈપણ ઉપલબ્ધ માધ્યમો દ્વારા તમે વતન પરત આવી શકો છો.
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સરકાર ઓપરેશન ગંગા ચલાવવામા આવી રહ્યુ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે 216 ભારતીય નાગરિકોને લઈને આઠમી ફ્લાઈટ હંગેરીની રાજધાની બુડાપેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે, જ્યારે 218 ભારતીયોને લઈને નવમી ફ્લાઈટ રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી નવી દિલ્હી માટે રવાના થઈ છે.
હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય વાયુસેનાને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોના એરલિફ્ટ ઓપરેશનમાં જોડાવા કહ્યું છે. ઓપરેશન ગંગામાં એરફોર્સ સામેલ થઈ શકે છે. એરફોર્સ એરલિફ્ટ માટે C-17 એરક્રાફ્ટનો ઉપયોગ કરી શકે છે. C-17 ગ્લોબમાસ્ટર અફઘાનિસ્તાનમાં અશાંતિ દરમિયાન 640 લોકોએ ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટમાં બે વખત ભારતીયોને કાબુલથી એરલિફ્ટ કર્યા હતા.
ભારત પાસે 11 C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ છે. આ એરક્રાફ્ટનું બાહ્ય માળખું એટલું મજબૂત છે કે રાઈફલ અને નાના હથિયારોના ફાયરિંગની તેના પર કોઈ અસર થતી નથી. યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે સ્પાઈસ જેટનું વિમાન આજે સ્લોવાકિયાના કોસીસ જશે. તેના પર દેખરેખ રાખવા માટે કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ ભારત સરકારના વિશેષ દૂત તરીકે કોસીસ જઈ રહ્યા છે.