નાગરિક માનવ સંસાધન વ્યવસ્થાપનના તમામ પાસાઓને સમયબદ્ધ રીતે સંબોધવા માટે ભારતીય નૌકાદળે 2024 ને નૌકાદળના નાગરિકોના વહીવટ, કાર્યક્ષમતા અને કલ્યાણમાં સુધારો કરવા માટે ‘નેવી નાગરિક વર્ષ’ તરીકે જાહેર કર્યું છે. 2024 માં અમલીકરણ માટે વહીવટી કાર્યક્ષમતા, ડિજિટલ પહેલ, સામાન્ય અને વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો અને કલ્યાણ પ્રવૃત્તિઓને મહત્તમ બનાવવાના સંદર્ભમાં આ મુખ્ય ફોકસ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે.
નૌકાદળના નાગરિક કર્મચારીઓ ભારતીય નૌકાદળના કુલ કર્મચારીઓના આશરે એક તૃતીયાંશ ભાગનો હિસ્સો ધરાવે છે અને નૌકાદળના તમામ ક્ષેત્રોની કાર્યકારી અસરકારકતામાં નોંધપાત્ર યોગદાન આપે છે. નાગરિક કર્મચારીઓ કમાન્ડ હેડક્વાર્ટર, ડોકયાર્ડ્સ, મટીરીયલ ઓર્ગેનાઈઝેશન, નેવલ આર્મમેન્ટ ડેપો, નેવલ આર્મામેન્ટ ઈન્સ્પેક્ટરો, તાલીમ સંસ્થાઓ અને અન્ય ઘણા પ્રકારના સહાયક એકમો જેવા નૌકાદળના માળખાના એકંદર પ્રદર્શનને પ્રભાવિત કરે છે.
બજેટ 2024: મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટને સરળ રીતે સમજો, જાણો સૌથી અગત્યના આ 8 પોઈન્ટ
નાગરિક કર્મચારીઓમાં સંગઠનાત્મક કાર્યક્ષમતા અને સંતોષના સ્તરને વધારવા માટે ભૂતકાળમાં અનેક પહેલોની કલ્પના અને અમલ કરવામાં આવી છે. જો કે, તે અનિવાર્ય છે કે તેમના વહીવટ, તાલીમ, કલ્યાણ વગેરેને વધારવામાં આવે જેથી તેઓ ભારતીય નૌકાદળને લડાઇ માટે તૈયાર, વિશ્વસનીય, સંયોજક અને ભાવિ સક્ષમ બળ તરીકે અસરકારક રીતે યોગદાન આપી શકે. 2024ને તેમના માટે સમર્પિત વર્ષ તરીકે જાહેર કરવું એ આ દિશામાં એક પગલું છે.