ભારતીયોને મળશે વધુ એક દેશમાં વિઝા-ફી એન્ટ્રી, ઈરાને ભારત સાથે 33 દેશો માટે વિઝા માફ કરવાનો લીધો નિર્ણય

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

World News: ઈરાની સરકારે ભારત માચે મહત્વનો નિર્ણય લીધો છે. હવે ઈરાન ફરવા જવા માટે વિઝાની જરૂર નથી. કારણ કે, ઈરાની કેબિનેટે ભારતના મુલાકાતીઓ માટે વિઝાની જરૂરિયાતોને એકપક્ષીય રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. ઈરાને બુધવારે 33 દેશો માટે વિઝા આવશ્યકતાઓને માફ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે કેબિનેટની બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા ઝરઘામીએ જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ પ્રવાસન આગમનને વેગ આપવા અને વિશ્વભરના દેશોમાંથી વધુ મુલાકાતીઓને આકર્ષવાનો છે.

ઈરાનના સાંસ્કૃતિક વારસો, પર્યટન અને હસ્તકલા મંત્રી એઝાતોલ્લાહ ઝરઘામીએ કહ્યું છે કે, તાજેતરના આંકડા અનુસાર ચાલુ ઈરાની વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન ઈરાનમાં વિદેશી આગમનની સંખ્યા 4.4 મિલિયન સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 48.5% નો વધારો છે.

તાજેતરમાં મલેશિયા, શ્રીલંકા અને વિયેતનામએ ભારતના મુલાકાતીઓ માટે વિઝાની આવશ્યકતાઓને માફ કરી દીધી છે. 2022 માં 13 મિલિયન આઉટબાઉન્ડ ભારતીય પ્રવાસીઓ દર્શાવતા તાજેતરના મેકકિન્સે વિશ્લેષણ સાથે ભારત આઉટબાઉન્ડ ટુરિઝમ ઇન્ડિયા માટે સૌથી ઝડપથી વિકસતું બજાર છે.

ઈરાનના નવા વિઝા-માફી કાર્યક્રમ માટે મંજૂર કરાયેલા 33 દેશો નીચે મુજબ છે

પાકિસ્તાનથી ભારત પરત ફરેલી અંજુ ગર્ભવતી છે? શરમાઈને હસીને કહ્યું- મને તો… છૂટાછેડા પર પણ આપ્યું મોટું નિવેદન

સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, એક દિવસમાં 1130 રૂપિયાનો વધારો, એક તોલું કેટલામાં આવશે?

જો પરિવારમાં હ્રદય રોગનો ઇતિહાસ હોય તો તો ખાસ સાવચેત રહો, હાર્ટ એટેકનો ખતરો સીધો વધી જાય, આ રહ્યું સમાધાન

ભારત, રશિયન, સંયુક્ત આરબ અમીરાત, બહેરીન, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, લેબનોન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ટ્યુનિશિયા, મોરિટાનિયા, તાન્ઝાનિયા, ઝિમ્બાબ્વે, મોરિશિયસ, સેશેલ્સ, ઇન્ડોનેશિયા, દારુસલામ, જાપાન, સિંગાપોર, કંબોડિયા, વિનિયમ , બ્રાઝિલ, પેરુ, ક્યુબા, મેક્સિકો, વેનેઝુએલા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા, ક્રોએશિયા અને બેલારુસ.


Share this Article