મુંબઈ પોલીસે લગ્નના બહાને અભિનેત્રી પર બળાત્કાર ગુજારનાર બિલ્ડરની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આરોપી આદિત્ય અજય કપૂર 24 વર્ષીય અભિનેત્રીને બાંદ્રામાં એક મિત્રના ઘરે મળ્યો હતો. પીડિત અભિનેત્રીએ કેટલીક તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. અધિકારીના જણાવ્યા અનુસાર, તેઓએ એકબીજા સાથે નંબરો શેર કર્યા હતા અને સતત એકબીજાના સંપર્કમાં હતા. સમય જતાં તેઓ એકબીજાની વધુ નજીક આવતા ગયા.
પોલીસ અધિકારીએ એફઆઈઆરને ટાંકીને કહ્યું કે, ‘આદિત્ય અજય કપૂરે લગ્નના વચન પર મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.’ ફરિયાદીનો આરોપ છે કે કપૂરે કફ પરેડ વિસ્તારમાં અને ગોવામાં પણ તેના નિવાસસ્થાને તેના પર બળાત્કાર કર્યો હતો. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું, ‘જ્યારે અભિનેત્રીએ લગ્ન માટે પૂછ્યું, ત્યારે આરોપીએ તેની સાથે શારીરિક સંબંધો રાખવાનો આગ્રહ કર્યો. જ્યારે તેણે ના પાડી તો તેણે તેની સાથે દુર્વ્યવહાર અને મારપીટ શરૂ કરી.
તેણે પીડિતાના માતા-પિતાના ફોન નંબર પર અશ્લીલ મેસેજ મોકલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. હેરાનગતિથી કંટાળીને મહિલાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. કપૂરની બળાત્કાર અને આઈટી એક્ટ સહિત આઈપીસીની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
બીજી તરફ, મધ્યપ્રદેશના રીવામાં, 16 વર્ષની આદિવાસી છોકરીનું અપહરણ કરીને પાંચ દિવસ સુધી બળાત્કાર ગુજારવા બદલ પોલીસે 35 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આ ઘટના ગયા અઠવાડિયે રીવા જિલ્લા મુખ્યાલયથી લગભગ 60 કિલોમીટર દૂર ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આદિવાસી સમુદાયની 16 વર્ષની છોકરીનું 3 સપ્ટેમ્બરની રાત્રે અરુણ તિવારીએ તેના ઘરેથી અપહરણ કર્યું હતું..