કડકડતી ઠંડી વચ્ચે નાદરુની લણણી, ખેડૂતોની દિવસ રાત મહેનત, આ સબ્જીનો સ્વાદ દાઢે વળગી જશે!

Desk Editor
By Desk Editor
Share this Article

National News: ભારત એ ખેતી પ્રધાન દેશ છે આ વાત સૌ કોઇ જાણે છે. આજે એક એવી ખેતીની ઝલક તમારી સામે લઇને આવ્યા છીએ જેના વિશે ખૂબ ઓછા લોકોએ સાંભળ્યું હશે. અમે વાત કરી રહ્યા છીએ નાદરુ અથવા તો કમળની દાંડીની… જેનું બીજ માત્ર એક જ વાર રોપવામાં આવે છે અને લણણી વર્ષો સુધી કરવામાં આવે છે. લણણીની સાચી મોસમ સપ્ટેમ્બરથી માર્ચની વચ્ચે હોય છે જ્યારે ખેડૂતો આખો દિવસ તેમની બોટ પર વિતાવે છે.

કાશ્મીરી રાંધણકળાનો ભાગ છે નાદરુ

ગુલાબી રંગના કમળ શ્રીનગરના દાલ સરોવરની મુલાકાત લેતા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તેની સામે ઘણા ખેડૂતો માટે આજીવિકાનું સાધન પણ છે. જલીય કમળના છોડની દાંડીને ત્યાની સ્થાનિક ભાષામાં નાદરુ કહેવામાં આવે છે, અને કાશ્મીરી ભોજનમાં ખૂબ જ પ્રિય ગણવામાં આવે છે. નાદરુ એ કાશ્મીરી રાંધણકળાનો એક વિશિષ્ટ ભાગ છે. નાદરુંની સબ્જી કાશ્મીરની ફેમસ વસ્તુઓમાંથી એક છે. કાશ્મીરી ખેડૂતો દાલ સરોવર, અંચર તળાવ અને માનસબાલ તળાવમાંથી નાદરુ એકત્ર કરે છે.

આ ખેતી જરા પણ સહેલી નથી

નાદરુની ખેતી મુખ્યત્વે તળાવમાં થાય છે. અહીંના ખેડૂતો માટે આજીવિકાનો સ્ત્રોત છે. વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતો બોટમાં જાય છે. તેઓ પાસે એક શમ નામના ઓજાર હોય છે. જેના એક છેડે ધાતુનો હૂક લાગેલો હોય છે. આ છ ફૂટ લાંબા લાકડાના થાંભલાઓ વડે પાણીના ઊંડાણમાંથી કમળની દાંડીને બહાર કાઢે છે. જ્યારે કમળના ફૂલ સૂકાય જાય ત્યારબાદ નાદરુની લણણી કરવામાં આવે છે. નાદરુની કાપણી કરવી એ સરળ કામ નથી. ખેડૂતો મહામહેનતે આ કામ કરે છે.

શરીર માટે બેસ્ટ છે નાદરુ

નાદરુને માછલી, કોલાર્ડ ગ્રીન્સ, બટાકા, પાલક સાથે મળીને અલગ-અલગ રીતે રાંધવામાં આવે છે અથવા ફક્ત કઢી તરીકે અથવા તો ડીપ ફ્રાય તરીકે ખાવામાં આવે છે. નાદરુમાં વિટામીન-સી, બી-6, પોટેશિયમ, થાઈમીન, કોપર અને મેંગેનીઝ અને પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોવાનું કહેવાય છે. કમળની દાંડી ડાયાબિટીસ અને થાઇરોઇડની સમસ્યા માટે પણ ફાયદાકારક છે. વરસાદ હોય કે બરફ, ખેડૂતો ક્યારેય પણ નાદરુની લણણી અટકાવતા નથી.

Exclusive: વડોદરાની ઘટનાને લઈને અમદાવાદ તંત્રની ઊઘડી આંખ, કાકરિયામાં રાતોરાત જૂના લાઈફ જેકેટ બદલાયા, 300 જેટલા નવા જેકેટનો કરાયો સ્ટોક

વડોદરા હરણી ઘટના: શિક્ષિકા-વિદ્યાર્થિનીના એકસાથે અંતિમ સંસ્કાર, સ્મશાનમાં હાજર સૌ કોઈ રડી પડ્યાં

“અમે પાઈપ પકડીને ઉપર આવ્યા…” – મોતની મુખમાંથી બચી જનાર બાળકે કહી સમગ્ર ઘટના, તંત્રને શરમ આવવી જોઈએ!

ખેડૂતો એક દિવસમાં લગભગ 10થી 20 બંડલ નાદરુ લણે છે. દરેક બંડલમાં 15-16 કમળની દાંડી હોય છે. તેને સાફ કરીને એક બંડલ બનાવવામાં આવે છે. સાથે જ બંડલ તૈયાર થયા બાદ તેને વેચવા માટે માર્કેટમાં મૂકવામાં આવે છે.


Share this Article