નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે મંગળવારે ૨૦૨૨-૨૩ માટે ૩૯.૪૫ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું. નાણાપ્રધાન ર્નિમલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટેના સામાન્ય બજેટની નકલ પણ રજૂ કરી હતી. તેમણે લોકસભામાં તેમનું બજેટ ભાષણ પૂરું કર્યા પછી તરત જ રાજ્યસભામાં ૨૦૨૨-૨૩ માટે સરકારની અંદાજિત આવક અને ખર્ચ (બજેટ)નું નિવેદન રજૂ કર્યું. બજેટમાં નાણાં ક્યાંથી આવશે અને ક્યાં જશે તેની વિગતો નીચે મુજબ છે.
રૂપિયા ક્યાંથી આવશે?
¨ દેવાં અને જવાબદારીઓમાંથી ૩૬ ટકા.
¨ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)માંથી ૧૫ ટકા.
¨ આવકવેરામાંથી ૧૪ ટકા.
¨ કોર્પોરેટ ટેક્સમાંથી ૧૩ ટકા.
¨ કેન્દ્રીય આબકારી જકાતમાંથી આઠ ટકા.
¨ કર સિવાયની આવકમાંથી છ ટકા.
¨ દેવા વગરની મૂડીમાંથી પાંચ ટકા.
¨ કસ્ટમ ડ્યુટીમાંથી ત્રણ ટકા.
રુપિયા ક્યાં જશે?
¨ વ્યાજની ચુકવણી પર ૨૦ ટકા.
¨ કર અને ડ્યુટીમાં રાજ્યોના હિસ્સા પર ૧૬ ટકા.
¨ કેન્દ્ર સરકારની પ્રાદેશિક યોજનાઓ પર ૧૪ ટકા.
¨ ફાઇનાન્સ કમિશન અને અન્ય ટ્રાન્સફર પર ૧૦ ટકા.
¨ અન્ય ખર્ચ પર ૧૦ ટકા.
¨ કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓ પર નવ ટકા.
¨ આઠ ટકા સબસિડી.
¨ સંરક્ષણ ક્ષેત્ર પર આઠ ટકા.
¨ પેન્શન પર પાંચ ટકા