ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત થયા છે. આ ટ્રેન દુર્ઘટનામાં બિહારના 50 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ સિવાય ઘણા ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યારે ઘણા લોકો હજુ પણ લાપતા છે. અત્યાર સુધી ઘણા મૃતદેહોની ઓળખ થઈ શકી નથી, જે મૃતદેહોની ઓળખ થઈ છે તેને રેલવે દ્વારા તેમના સંબંધીઓને સોંપવામાં આવી છે.
રેલવેએ મૃતદેહોની ઓળખ માટે અખબારોમાં જાહેરાતો આપીને લોકો પાસેથી મદદ પણ માંગી છે. એક વેબસાઈટની લિંક જારી કરીને, રેલવેએ મૃતદેહોની તસવીરો મુકવા અને આ સંદેશ શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવાની અપીલ કરી છે, જેથી સંબંધીઓ તેમના પ્રિયજનોને ઓળખી શકે. બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે આ દુર્ઘટનામાં રાજ્યના 50 લોકોના મોત થયા છે. આ સિવાય 43 ઘાયલોની સારવાર ચાલી રહી છે, જ્યારે 19 મુસાફરો લાપતા છે. 12 મૃતદેહોના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત થયો હતો. અહીં ત્રણ ટ્રેનોની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 288 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. તેમાંથી 900 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે 200 લોકો હજુ પણ સારવાર હેઠળ છે.
આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો?
રેલવે તરફથી કહેવામાં આવ્યું કે ટ્રેન નંબર 12481 કોરોમંડલ એક્સપ્રેસ બહંગા બજાર સ્ટેશન (શાલીમાર-મદ્રાસ)ની મુખ્ય લાઇન પરથી પસાર થઈ રહી હતી, તે જ સમયે તે પાટા પરથી ઉતરી ગઈ અને અપ લૂપ લાઇન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ. ટ્રેન પૂરપાટ ઝડપે ચાલી રહી હતી, જેના કારણે 21 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને 3 ડબ્બા લાઇનની નીચે ઉતરી ગયા હતા. બીજી ટ્રેન પસાર કરવા માટે દરેક રેલવે સ્ટેશન પર લૂપ લાઇન છે. બહાનગા બજાર સ્ટેશન પર બે લૂપ લાઇન છે, ઉપર અને નીચે. કોઈપણ ટ્રેનને જ્યારે સ્ટેશન પરથી બીજી ટ્રેન પસાર કરવાની હોય ત્યારે તેને લૂપ લાઇન પર ઊભી રાખવામાં આવે છે.
આ માણસને 12 પત્નીઓ, 102 બાળકો, 578 પૌત્રો, બાળકોના નામ ભૂલી જાય છે, ક્યારેય કોન્ડોમ નથી વાપર્યું
RBIએ સતત બીજી વાર આપ્યા સૌથી સારા સમાચાર, સાંભળીને કરોડો બેંક ગ્રાહકો ખુશ થઈ ગયા
ખરેખર, બહાનગા બજાર સ્ટેશન પર આ ટ્રેનોનું કોઈ સ્ટોપેજ નથી. આવી સ્થિતિમાં બંને ટ્રેનોની સ્પીડ ઝડપી હતી. જ્યારે બહાનાગા બજાર સ્ટેશન પરથી પસાર થઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ અચાનક પાટા પરથી ઉતરી ગઈ ત્યારે ટ્રેનના કેટલાક ડબ્બા માલસામાન ટ્રેન સાથે અથડાઈ ગયા. દરમિયાન, અકસ્માત સમયે ડાઉન લાઇન પરથી પસાર થતી યશવંતપુર-હાવડા એક્સપ્રેસના પાછળના બે ડબ્બા પણ પાટા પરથી ઉતરી ગયેલી કોરોમંડલ એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માત ભુવનેશ્વર રેલ્વે સ્ટેશનથી લગભગ 171 કિલોમીટર અને ખડગપુર રેલ્વે સ્ટેશનથી લગભગ 166 કિલોમીટર દૂર બાલાસોર જિલ્લાના બહંગા બજાર સ્ટેશન પર થયો હતો.