સદીઓથી પુનર્જન્મ અંગે અનેક વાતો સામે આવતી રહી છે. ઘણી વખત એવા ઉદાહરણ સામે આવે છે જેના પર વિશ્વાસ કરવો અઘરો હોય છે. હાલમા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ઝાલાવાડ જિલ્લાથી. અહી મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના ખજુરી ગામમાં પુનર્જન્મનો કિસ્સો સામે આવતા સૈ કોઈ ચોંકી ગયા હતા. અહીં દાવો કરવામાં આવી રહ્યો છે કે ગામના ઓમકાર લાલ મૈહરનો 3 વર્ષનો પુત્ર મોહિત તેના પાછલા જન્મ વિશે બધું જ જાણે છે.
આ સાથે તે માત્ર 16 વર્ષ પહેલાં તેના અકાળ મૃત્યુ વિશે જ જાણે છે એટલુ જ નહી, પરંતુ તે અગાઉના જન્મોના માતાપિતા અને અન્ય સંબંધીઓને પણ ઓળખે છે. આ વાર્તા 3 વર્ષ પહેલા શરૂ થાય છે જ્યારે ખજુરી ગામમાં જન્મેલ મોહિત એક સામાન્ય બાળક જેવો હતો. જોકે, તેના પિતા ઓમકાર લાલનું કહેવું છે કે મોહિત નાનપણથી જ ટ્રેક્ટરના અવાજથી ગભરાઈને રડતો હતો. જ્યારે મોહિતે બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેણે શરૂઆતમાં પોતાનું નામ તોરણ રાખ્યું.
આ પછી ધીમે ધીમે તેણે તેના આગલા જન્મના ગામ, માતાપિતા અને તેના મૃત્યુનું કારણ પણ કહેવાનું શરૂ કર્યું. મોહિત પોતાને તોરણ કહેતો હતો, જે કોલુ ખેડીનો રહેવાસી છે. તોરણ મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના કોલુ ખેડીના રહેવાસી કલ્યાણમલ ધાકડનો પુત્ર હતો. લગભગ 16 વર્ષ પહેલા રોડના નિર્માણ દરમિયાન ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી તોરણનું મોત થયું હતું. તેમના મૃત્યુ પછી, કલ્યાણ ધાકડ તેના પરિવાર સાથે ગામ છોડીને મધ્યપ્રદેશના જામનેર પોલીસ સ્ટેશન વિસ્તારના શંકરપુરા ગામમાં રહેવા લાગ્યો.
એક યોગાનુયોગ છે કે ખજુરી ગામમાં પાછલા જન્મના તોરણની એક કાકી રહેતી હતી. જ્યારે તેણીને ખબર પડી ત્યારે સૌ પ્રથમ તે મોહિતને મળવા આવી, મોહિતે તેને જોઈને તેની કાકી નાથીબાઈને ઓળખી લીધી અને તેને વળગીને રડવા લાગ્યો. જ્યારે માસીને ખાતરી થઈ ત્યારે તેણે તોરણના માતા-પિતાને મધ્યપ્રદેશમાં માહિતી મોકલી. બાદમાં તે તેણીને મળવા પણ આવ્યો હતો. મોહિતે પણ તેને ઓળખ્યો અને તેની સાથે પાછલા જીવનની ઘણી વાતો કરી, જે પછી બધાને ખાતરી થઈ ગઈ કે આજનો મોહિત જ તોરણ છે.