ઓપરેશન કાવેરી અંતર્ગત વધુ ૩૨૮ ભારતીયો મંગળવારે રાત્રે સંકટગ્રસ્ત સૂડાનથી નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યા. અત્યાર સુધી લગભગ ૩૦૦૦ જેટલા ફસાયેલા ભારતીય ભારત પહોંચી ચૂક્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ટ્વીટ કર્યું કે, ‘વધુ ૩૨૮ પ્રવાસીઓ નવી દિલ્હીમાં ઉતર્યા છે. ઓપરેશન કાવેરી ઝડપથી આગળ વધી રહ્યું છે કેમ કે, લગભગ ૩૦૦૦ યાત્રીઓ
ભારત પહોંચી ચૂક્યા છે.
મહત્ત્વનું છે કે, સૂડાનમાં સંઘર્ષ વચ્ચે સરકાર એ નિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે કે, કોઈ પણ ભારતીય નાગરિક સૂડાનમાં રહી ન જાય. ભારતે ૨૪ એપ્રિલે ઓપરેશન કાવેરી શરૂ કર્યું. સૈન્ય વિમાનો અને યુદ્ધ જહાજને તહેનાત કરાયા છે. સૂડાનથી સ્વદેશ પરત ફરેલા એક પ્રવાસીએ કહ્યું, ‘નરેન્દ્ર મોદી છે તો શક્ય છે. આઈ લવ યૂ ઇન્ડિયા ગવર્નમેન્ટ.’ એક અન્ય પ્રવાસીએ કહ્યું કે, સૂડાન,
રિયાદના ભારતીય દૂતાવાસ અને જેદ્દાહના જનરલ કાઉન્સિલે તેમને પરત લાવવા માટે સંકલન કર્યું છે.
અન્ય એક પ્રવાસીએ કહ્યું, ‘હું ભારતમાં પરત આવી ઘણો ખુશ છું. સૂડાનમાં સ્થિતિ ઘણી ગંભીર છે. સમગ્ર દેશમાં બોમ્બ વિસ્ફોટ અને ફાયરિંગ થઈ રહી છે. ઓપરેશન કાવેરી અંતર્ગત અમને બહાર લાવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું.’કેપ્ટન સુનીલ ચઢ્ઢાએ કહ્યું, ‘ભારત સરકાર દ્વારા ઘણો સારો પ્રયાસ કરાયો છે. આ સરકાર લોકોની કાળજી લઈ રહી છે અને લોકોને તેમની જરૂરત
વખતે સરકાર જવાબ આપે છે.’ દરમિયાન સૂડાનમાં ભસેલા ભારતીયોનો ૨૦મો જથ્થો સાઉદી અરબના જેદ્દાહ માટે રવાના થયો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટમાં કહ્યું, ‘પોર્ટ સૂડાનથી બહાર લવાયેલા લોકોનો ૨૦મો જથ્થો રવાના થયો. ૧૧૬ યાત્રીઓ સાથે IAF C-130J વિમાન જેદ્દાહ માટે રવાના થયું.
રેશનકાર્ડ ધારકોને લાગ્યો મોટો ઝટકો, હવે ફ્રીમાં રાશન નહીં મળે, નવી ગાઈડલાઈન જાહેર! ફટાફટ જોઈ લો
ભારત પહોંચેલા પ્રવાસીઓએ પીએમ મોદીના નારા લગાવ્યા
સૂડાનમાં રેજિમેન્ટ અને માનાવતાવાદી સંયોજક અબ્દુ દીંગે કહ્યું, ‘સૂડાનમાં વિનાશકારી ઝઘડાને બે અઠવાડિયાથી વધુનો સમય થઈ ગયો છે. એક એવો સંઘર્ષ જે સૂડાનના માનવીય સંકટને એક પૂર્ણ આપત્તિમાં ફેરવી રહ્યું છે. ખાર્તમમાં લડાઈ ચાલી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે, સૂડાનમાં માનવીય સંકટ ‘બ્રેકિંગ પોઇન્ટ’ પર છે. સેના અને અર્ધસૈનિક દળો વચ્ચે સંઘર્ષના કારણે સૂડાનને રક્તપાતનો સામનો કરવો પડી રહ્યો છે. બંને સૈનિક દળો એક બીજા પર સંઘર્ષ વિરામના નવા ઉલ્લંઘનનો આરોપ લગાવે છે જેને તેઓ આગળ વધારવા માટે સહમત થયા હતા. કેમ કે તેમનો વિનાશકારી સંઘર્ષ ત્રીજા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યો છે.