ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓને અનેક ગેરમાન્યતાઓનો સામનો કરવો પડે છે, જેમાંથી એક વર્જિનિટી છે. ભારતમાં આવા ઘણા કિસ્સા સામે આવ્યા છે જ્યાં લોકો લગ્ન પહેલા યુવતીનો વર્જિનિટી ટેસ્ટ કરાવે છે, જ્યારે પુરૂષો માટે આવો કોઈ સ્કેલ નક્કી કરવામાં આવ્યો નથી. જાે કે, સમયની સાથે આ બાબતમાં ઘટાડો થયો છે, પરંતુ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી.
હજુ પણ એવા ઘણા દેશો છે જ્યાં લગ્ન પહેલા યુવતીનો વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે અને તેના આધારે તેની સાથે લગ્ન કરવા કે નહીં તે નક્કી કરવામાં આવે છે. આજે અમે તમને એક એવા દેશ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં દહેજ પણ વર્જિનિટી ટેસ્ટના આધારે નક્કી કરવામાં આવે છે. આ વાત ઈરાનની છે. ઈરાનમાં રહેતી હજારો મહિલાઓ અને યુવતીઓ માટે લગ્ન પહેલા વર્જિનિટી ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ કોઈપણ તબીબી આધાર વિના કરવામાં આવે છે.
જે મહિલાઓ આ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તેમને હાઈમેન રિપેર સર્જરી માટે ફરજ પાડવામાં આવે છે. સૌથી ખૌફનાક વાત એ છે, વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થનારી મહિલાઓની હત્યા કરવામાં આવતી હોવાના પણ ઘણા કિસ્સા છે. વર્જિનિટી ટેસ્ટ માટે કોઈ મેડિકલ આધાર નથી, પરંતુ ઈરાનમાં રહેતા લોકો યુવતી પર આ ટેસ્ટ કરાવવા માટે દબાણ કરે છે. આ વર્જિનિટી ટેસ્ટ બાબતે ઈરાની મહિલાઓનું કહેવું છે કે, તેમને આ કેરેક્ટર સર્ટિફિકેટ બિલકુલ પસંદ નથી કારણ કે તેઓએ તેના માટેના વિચિત્ર ટેસ્ટ કરાવા પડે છે.
ક્લિનિકમાં વર્જિનિટી ટેસ્ટ માટે ગયેલી એક મહિલાએ જણાવ્યું કે, તેને અહીં આવવું બિલકુલ પસંદ નથી. પરંતુ પરિવારના દબાણને કારણે તેણે આવું કરવું પડ્યું છે. ઈરાનમાં રહેતી અન્ય એક મહિલાએ કહ્યું કે વર્જિનિટીનો પુરાવો આપવો એ મારા ચારિત્ર્યનું અપમાન છે. આ એક રીતે મારી ગોપનીયતા પર પ્રહાર અને જાતીય સતામણી છે. વર્જિનિટી ટેસ્ટ અંગે રેડિયો ફ્રી યુરોપ સાથે વાત કરતાં ઈરાનના એક ડૉક્ટરે કહ્યું કે, એવું નથી કે આ ટેસ્ટ માટે યુવકના ઘર તરફથી દબાણ હોય છે પણ ઘણી વાર યુવતીના પરિવારવાળા જ આ ટેસ્ટ માટે છોકરીને દબાણ કરતા હોય છે.
ડોક્ટરે કહ્યું કે, મારા નિરીક્ષણ મુજબ ૯૦ ટકા કેસમાં યુવતીના પરિવારજનો આ ટેસ્ટ કરાવવા માંગે છે. ઘણા કિસ્સામાં લગ્ન કરનાર યુવકને યુવતી પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે અને તે વર્જિનિટી ટેસ્ટ માટે ના પાડી દે છે. પરંતુ તેમ છતાં યુવતીના પરિવારજનોએ યુવતી પર વર્જિનિટી ટેસ્ટ માટે દબાણ કરે છે. ડૉક્ટરે કહ્યું કે, ઘણી વખત મને એ વિચારીને નવાઈ લાગે છે કે યુવકોપોતે આ સ્કેલ પર કેટલા મળે છે? શું તેઓએ કંઈ કર્યું જ નહિ હોય?
સમાનેહ સવાદી નામની મહિલા અધિકાર માટે કામ કરતી કાર્યકર્તાએ તેના તાજેતરના અહેવાલમાં ધ્યાન દોર્યું હતું કે, આવા પરીક્ષણો સ્ત્રીઓ સામે હિંસાને પ્રોત્સાહન આપે છે, આ ટેસ્ટની કોઈ તબીબી માન્યતા નથી અને આ ટેસ્ટને કારણે મહિલાઓની ગરિમાને પણ ઠેસ પહોંચે છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા સમાજમાં આ પ્રકારના પરીક્ષણો આડેધડ કરવામાં આવે છે. અહી ઉલ્લેખનિય છે કે, ઈરાનમાં લોકો તેમની પુત્રીઓ અને પત્નીઓને તબીબી કેન્દ્રોમાં લઈ જાય છે અને તેમની તપાસ કરાવે છે.
વર્જિનિટી સંબંધિત આ રિવાજાે હજુ પણ ઈરાનના કેટલાક ભાગોમાં અનુસરવામાં આવે છે. આ રિવાજાે અનુસાર સુહાગરાતે યુવતીના પલંગ પર સફેદ ચાદર અથવા રૂમાલ મૂકવામાં આવે છે અને બીજા દિવસે તેના ઉપર લોહીના ડાઘાં છે કે કેમ? તે જાેવામાં આવે છે. આ સિવાય વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થનારી મહિલાઓને હાઈમેન રિપેર સર્જરી કરાવવાનું દબાણ કરવામાં આવે છે. આ માટે ઈરાનમાં ઘણા પૈસા પણ ખર્ચવામાં આવે છે. ઈરાન સ્થિત ગાયનેકોલોજિસ્ટ ફારીમાહ ફરાહાની કહે છે કે, કમનસીબે, આ હાઈમેન રિપેર સર્જરી ઈરાનમાં પૈસા કમાવવાનો સૌથી મોટો રસ્તો બની ગઈ છે.
હાઈમેન રિપેર દરમિયાન મહિલાઓની પ્રાઈવેટ પાર્ટની ઓપનિંગ સીવીને સીલ કરવામાં આવે છે અને જ્યારે સંભોગ થાય છે ત્યારે આ ટાંકાવાળો ભાગ ખુલી જાય છે, જેના કારણે રક્તસ્ત્રાવ થાય છે. ઘણા લોકો સ્ત્રીઓ પાસેથી આવી અપેક્ષા રાખે છે. પરંતુ અહીં જે હાઈમેન રિપેર કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવે છે તેને મેડિકલ સાયન્સમાં માન્યતા આપવામાં આવી નથી. જેન્ડર રિસર્ચર ઝાયરા બઘેર-શાદે કહ્યું કે, જે મહિલાઓ વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થાય છે તેમને ઘણા ખરાબ પરિણામોનો સામનો કરવો પડે છે. કોઈ યુવતી વર્જિન ન હોય અથવા લગ્ન પહેલા કોઈ બીજા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હોય તો તેની હત્યા પણ થઈ શકે છે.