ગાઝિયાબાદમાં PM સ્કીમ ફ્લેટ્સ: કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજનાઓમાંની એક, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ દેશભરમાં લાખો લોકોને ઘરો પૂરા પાડવામાં આવ્યા છે, પરંતુ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં તેની હાલત ખરાબ છે અને અહીં જેમને ફાળવાયા હોય તેમને કોઈને ફ્લેટ અપાયા નથી, એવા અહેવાલો મળે છે.
આ યોજના સરકાર દ્વારા 2015માં આર્થિક રીતે પછાત વર્ગના પરિવારો માટે શરૂ કરવામાં આવી હતી. પરંતુ ગાઝિયાબાદમાં ઉમેદવારો પોતાને ફાળવાયેલા ઘરનો કબજો મેળવવા માટે ચક્કર લગાવી રહ્યા છે. આ યોજના હેઠળ શહેરના મધુબન, બાપુધામ, ડાસના અને જીડીએના હાઉસિંગ પ્રોજેક્ટમાં લગભગ 2,000 યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ સુવિધાના અભાવે તેઓને સોંપવામાં આવ્યા ન હતા.
ગાઝિયાબાદ શહેરમાં, PMAY લાભાર્થીઓને GDA કોલોનીઓમાં 3,550 એકમો અને ખાનગી ડેવલપરોના પ્રોજેક્ટ્સમાં 6,150 યુનિટ મળવાના હતા. ઓથોરિટી દ્વારા શરૂ કરાયેલા છ પ્રોજેક્ટ્સમાં GDAએ PMAY હેઠળ 3,550 યુનિટ તૈયાર કરવાના હતા. આમાંથી 2,000 થી વધુ તૈયાર છે. પરંતુ આજદિન સુધી વીજળી, પાણી અને ગટર જોડાણો અને કનેક્ટેડ રોડનું કામ પૂર્ણ થયું નથી.
જીડીએના એક ઉચ્ચાધિકારીએ જણાવ્યું હતું કે, અમારા સ્તરે કામ પૂર્ણ છે. કનેક્ટિંગ રોડ માટે પીડબલ્યુડી, વીજળી જોડાણ માટે યુપી પાવર કોર્પોરેશન લિમિટેડ, પાણી પુરવઠા માટે યુપી જલ નિગમ અને ગટર જોડાણ માટે ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખવામાં આવ્યો છે. આ મામલો રાજ્ય સરકારના સ્તરે પણ ઉઠાવવામાં આવ્યો છે. પરંતુ આજ સુધી એ દિશામાં કશી પ્રગતિ જણાઈ નથી.
તેમણે ઉમેર્યું કે, ખાનગી ડેવલપરોએ તેમના પ્રોજેક્ટ્સમાં બાકીના 6,150 એકમોને હેન્ડઓવર કરવાના હતા. પરંતુ ત્યાં પણ કોઈ હેન્ડઓવર થયું નથી. જ્યારે અમે ડેવલપરો પાસેથી PMAY ની વર્તમાન સ્થિતિ વિશે માહિતી માગી ત્યારે તેઓએ અમને ખાતરી આપી કે પ્રોજેક્ટ્સ સંબંધિત કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને ફ્લેટ્સ ટૂંક સમયમાં આપવામાં આવશે. અહીં ગાઝિયાબાદમાં ફ્લેટ મળશે અને સરકાર GDA કોલોનીઓમાં PMAY હેઠળ 3,550 યુનિટ પહોંચાડવાની છે. તેમાંથી 856 મધુબન બાપુધામ હાઉસિંગ પ્રોજેક્ટમાં, 432 દાસનામાં, 1200 પ્રતાપ વિહારમાં, 400 નૂર નગરમાં અને બાકીની અન્ય કોલોનીઓમાં છે.
WHOના ડરામણા અહેવાલથી સાવધાન… કોવિડના નવા સ્વરૂપ JN.1ને કારણે ગયા મહિને 10,000 લોકો મોત!
આતંકવાદીઓના નિશાના પર રામ મંદિર, રાજકારણીઓ પર પણ મોટો ખતરો, ગુપ્તચર એજન્સીઓ હાઈ એલર્ટ પર મુકાઈ
ફેબ્રુઆરી 2021માં, GDA બોર્ડે PMAY યુનિટની કિંમત 4 લાખથી 6 લાખ રૂપિયાની વચ્ચે રાખવાની મંજૂરી આપી હતી. રૂ. 6 લાખના એકમમાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 2.5 લાખ, રાજ્ય સરકારનો હિસ્સો રૂ. 1 લાખ અને લાભાર્થીનો હિસ્સો રૂ. 2.5 લાખ છે. અગાઉ, સરકારે PMAY હેઠળ ગાઝિયાબાદ માટે 2022 સુધીમાં 36,000 યુનિટનો લક્ષ્યાંક રાખ્યો હતો.