Cricket News: T-20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ તોફાનમાં ફસાયેલી ભારતીય ક્રિકેટ ટીમ આખરે ચાર દિવસ બાદ 4 જુલાઈએ કેરેબિયન ટાપુ બાર્બાડોસથી સ્વદેશ પરત ફરી હતી. દેશની રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ખેલાડીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને ગયા અને નરેન્દ્ર મોદીને મળ્યા. PM મોદીએ ખાસ ‘ચેમ્પિયન’ જર્સી પહેરેલા ખેલાડીઓ સાથે ક્લિક કરેલી તસવીરો પણ વાયરલ છે. આ દરમિયાન કેમેરામાં કંઈક એવું કેદ થઈ ગયું, જેના પછી દરેક લોકો મોદીના વખાણ કરી રહ્યા છે.
વાસ્તવમાં ફોટો સેશન દરમિયાન પીએમ મોદીએ T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતે નહોતી પકડી પરંતુ ટીમના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો હાથ પકડ્યો હતો. આ તો બહુ નાની વાત છે, પરંતુ પીએમ મોદીનો ઈશારો વિશ્વ વિજેતા ભારતીય ટીમની મહેનત અને આઈસીસી ટ્રોફીની ગરિમાનું સન્માન દર્શાવે છે. મોદીની આ વાત સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. લોકો ભારતીય વડાપ્રધાનના સ્પોર્ટ્સમેન સ્પિરિટના વખાણ કરી રહ્યા છે.
The triumphant Indian Cricket Team met with the Honourable Prime Minister of India, Shri Narendra Modiji, at his official residence today upon arrival.
Sir, we extend our heartfelt gratitude to you for your inspiring words and the invaluable support you have provided to… pic.twitter.com/9muKYmUVkU
— BCCI (@BCCI) July 4, 2024
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની પ્રતિષ્ઠિત વર્લ્ડ કપ ટ્રોફી રમતમાં સિદ્ધિના શિખરનું પ્રતિનિધિત્વ કરે છે. ટ્રોફીનો સમૃદ્ધ ઇતિહાસ છે. આ ટ્રોફી હાંસલ કરવા માટે, ખેલાડીઓએ વર્ષ-દર-વર્ષે તેમના લોહી અને પરસેવો રેડ્યા છે. દિવસ-રાત પ્રેક્ટિસ કરી છે. ટ્રોફી ઉચ્ચ દબાણના વાતાવરણનો સામનો કરીને જીતવામાં આવે છે, આવી સ્થિતિમાં જેઓએ ટ્રોફી જીતી છે તેનો જ તેના પર અધિકાર છે. કોઈપણ બહારના વ્યક્તિ માટે તેને પકડી રાખવું કે સ્પર્શ કરવો તે તે ખેલાડીઓની મહેનત પર પાણી ફેરવવા જેવું છે.
T-20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સ્વદેશ પરત ફરી ત્યારે દિલ્હીમાં ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એરપોર્ટ પર ચાહકો દ્વારા ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ટીમના સભ્યોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નાસ્તો કર્યો હતો.
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
સેંકડો ચાહકો ખેલાડીઓની એક ઝલક મેળવવા ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યા, વિવિધ સૂત્રો સાથેના બેનરો અને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યા. તેમણે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગયા શનિવારે T-20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને ટાઈટલ જીત્યું હતું.