પીએમ મોદી કુવેત માટે રવાના, ૪૩ વર્ષ બાદ કોઈ ભારતીય પ્રધાનમંત્રીનો પહેલો પ્રવાસ, જાણો પુરો કાર્યક્રમ

Lok Patrika
By Lok Patrika
Share this Article

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાતમાં સંરક્ષણ અને વેપાર સહિત અનેક મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં બંને ગલ્ફ દેશો વચ્ચેના સંબંધોને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. મોદી કુવૈતના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરશે, ભારતીય મજૂર શિબિરની મુલાકાત લેશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે અને ગલ્ફ કપ ફૂટબોલ ટૂર્નામેન્ટના ઉદઘાટન સમારોહમાં ભાગ લેશે. છેલ્લાં 43 વર્ષમાં કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ ખાડીનાં દેશોની આ પ્રથમ મુલાકાત લીધી છે. વડાપ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, કુવૈત સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિ અને સંરક્ષણ સહયોગ કરાર પર ચર્ચા ચાલી રહી છે.

 

कुवैत जा रहे प्रधानमंत्री मोदी, 43 साल बाद भारतीय पीएम का दौरा, पढ़ें- पूरा शेड्यूल - PM Modi visit to Kuwait to open new chapter in bilateral ties MEA ntc - AajTak

 

એક મીડિયા બ્રીફિંગને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના સચિવ (ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ) અરુણ કુમાર ચેટર્જીએ કહ્યું કે, વડાપ્રધાનની મુલાકાત દરમિયાન કેટલાક દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રીની ઐતિહાસિક મુલાકાતથી ભારત-કુવૈત દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે.” તેમણે જણાવ્યું હતું કે, “તે માત્ર વર્તમાન ક્ષેત્રોમાં ભાગીદારીને જ મજબૂત નહીં કરે, પરંતુ ભવિષ્યના સહકાર માટે નવા માર્ગો પણ ખોલશે, આપણા સહિયારા મૂલ્યોને મજબૂત બનાવશે અને ભવિષ્ય માટે વધુ મજબૂત ભાગીદારીનું નિર્માણ કરશે.” ’’

 

PM Modi Kuwait Visit: कुवैत दौरे पर रवाना हुए PM मोदी, प्रवासी भारतीयों से बातचीत समेत ये है प्रधानमंत्री का पूरा शेड्यूल

 

ચેટર્જીએ જણાવ્યું હતું કે આ મુલાકાતથી ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી) વચ્ચેના સંબંધોને પણ વેગ મળવાની અપેક્ષા છે. ચેટર્જીએ કહ્યું કે ભારત મુક્ત વેપાર કરાર માટે જીસીસી સાથે વાતચીત કરી રહ્યું છે. તેમણે કહ્યું, “અમને આશા છે કે બંને પક્ષો તેને પૂર્ણ કરવામાં સક્ષમ હશે.” કુવૈતમાં એક મજૂર શિબિરમાં મોદીની આયોજિત મુલાકાત અંગે ચેટર્જીએ કહ્યું હતું કે સરકાર વિદેશમાં તમામ ભારતીય કામદારોના કલ્યાણને ખૂબ મહત્વ આપે છે. “વડા પ્રધાનની મજૂર શિબિરની મુલાકાતનો હેતુ એ દર્શાવવાનો છે કે ભારત સરકાર આપણા કામદારોને કેટલું મહત્વ આપે છે. એ જ મુખ્ય ઉદ્દેશ છે. ’’

 

आज पीएम मोदी होंगे कुवैत के लिए रवाना, द्विपक्षीय संबंधों को मिलेगी मजबूती | Pm modi two days kuwait visit bilateral ties strong cooperation in defence and trade

 

પીએમ મોદી કુવેતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જબર અલ-સાબાના આમંત્રણ પર આ મુલાકાતે જઈ રહ્યા છે. અમીર સાથે મુલાકાત ઉપરાંત મોદી કુવેતના યુવરાજ અને પ્રધાનમંત્રી સાથે પણ વાતચીત કરશે. ચટર્જીએ કહ્યું, ‘‘આ મુલાકાતથી બંને દેશો વચ્ચે વધુ મજબૂત ભાગીદારી વિકસાવવામાં મદદ મળશે.’’ તેમણે કહ્યું કે મોદી કુવેત નેતૃત્વ સાથે વ્યાપાર, રોકાણ, ઊર્જા, સંસ્કૃતિ અને લોકો વચ્ચેના સંપર્કના ક્ષેત્રો સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. આ પહેલાં, તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ 1981માં કુવેતની મુલાકાત લીધી હતી.

 

કેનેડામાં રહેતા ભારતીયો માટે લોટરી લાગી! જસ્ટિન ટ્રુડોના આ નિર્ણયથી મળી શકે છે સ્થાયી નાગરિકતા

અદાણી ગ્રુપ સામે યુએસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીમાં સામેલ જજ રાજીનામું આપશે

મુંબઈ બોટ દુર્ઘટના: ‘નૌકાદળની સ્પીડબોટનો ડ્રાઈવર કરી રહ્યો હતો સ્ટંટ’, મુંબઈ બોટ દુર્ઘટનાનો ભોગ બનેલાએ કર્યો સનસનીખેજ દાવો

 

ભારત, કુવેતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનો એક છે અને ભારતીય સમુદાય કુવેતમાં સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. કુવેત, ભારતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનો એક છે, જેનો દ્વિપક્ષીય વ્યાપાર નાણાકીય વર્ષ 2023-24માં 10.47 અબજ અમેરિકી ડોલર રહ્યો. કુવેત, ભારતનો છઠ્ઠો સૌથી મોટો કાચા તેલનો પુરવઠાકાર છે, જે દેશની ઊર્જા જરૂરિયાતોને ત્રણ ટકા સુધી પૂર્ણ કરે છે. અમીર શેખ સબાહ અલ અહમદ અલ જાબર અલ સબાહ જુલાઈ, 2017માં ખાનગી મુલાકાતે ભારત આવ્યા હતા. આ પહેલાં 2013માં કુવેતના પ્રધાનમંત્રીએ ભારતની ઉચ્ચ સ્તરીય મુલાકાત લીધી હતી.

 

 

 


Share this Article
TAGGED: ,
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly