ચુંટણીમાં મોદીને ટક્કર કોણ આપી શકે તેનો મોટો સર્વે થયો, રાહુલ ગાંધીને લઈ આવ્યા એવા પરિણામો કે ભાજપવાળાને મરચા લાગશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજે લોકસભાની ચૂંટણી થાય તો રાહુલ ગાંધી હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોટો પડકાર આપી શકે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી મોંઘવારી, બેરોજગારી, ય્જી્‌, કૃષિ કાયદો, ભારત-ચીન સરહદ વિવાદ અને અગ્નિપથ યોજના જેવા મોટા મુદ્દાઓ પર સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરી રહ્યા છે. જાે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં કોઈ પદ સંભાળ્યું નથી.

પરંતુ આ પોલમાં સામેલ લોકોએ તેમને પીએમ મોદીની સામે પ્રથમ પસંદગી ગણાવી હતી. જ્યારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને મતદાનમાં સામેલ લોકો પાસેથી અભિપ્રાય માંગવામાં આવ્યો ત્યારે ૧૯ ટકા લોકોનુ માનવુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે અરવિંદ કેજરીવાલ મોટો પડકાર બની શકે છે. નોંધનીય છે કે દિલ્લી બાદ પંજાબની તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જાેરદાર જીત મળી છે. અને ત્યારથી રાજકીય ચર્ચા છે કે કેજરીવાલની નજર હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પર છે.

તાજેતરમાં જ ‘મફત સેવાઓ’ના મુદ્દે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે આવા રેવડીઓનુ વિતરણ દેશના વિકાસ માટે ઘાતક છે ત્યારે અરવિંદ કેજરીવાલે પણ જવાબ આપવામાં મોડુ ન કર્યુ અને પત્રકાર પરિષદ યોજીને ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે સ્પર્ધા કરનાર મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ એવા નેતાઓમાં સામેલ છે જેમને લોકસભા ચૂંટણીમાં મજબૂત વિકલ્પ તરીકે જાેવામાં આવે છે.

આ મતદાન દરમિયાન જ્યારે લોકોને પૂછવામાં આવ્યુ કે જાે આજે લોકસભા ચૂંટણી યોજાવાની છે તો શું મમતા બેનર્જી પીએમ મોદી સામે મોટો પડકાર બની શકે છે, તો ૧૧ ટકા લોકોએ તેમના પક્ષમાં પોતાનો અભિપ્રાય આપ્યો હતો.તમને જણાવી દઈએ કે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પણ મમતા બેનર્જી વિપક્ષના સંયુક્ત ઉમેદવારને લઈને ખૂબ જ સક્રિય હતા. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં મમતા બેનર્જી મોટી ભૂમિકામાં જાેવા મળી શકે છે.

આ સર્વેમાં આ ત્રણ નેતાઓ સિવાય બિહારના સીએમ નીતિશ કુમાર અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. નીતિશ કુમાર હાલમાં ભાજપ સાથે ગઠબંધનમાં છે પરંતુ જાે નીતકશ કુમાર મહાગઠબંધનમાંથી બહાર નીકળે તો ૮ ટકા લોકો માને છે કે તેઓ પીએમ મોદીને પડકાર આપી શકે છે. વળી, ૮ ટકા લોકોએ સોનિયા ગાંધીની તરફેણમાં પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યુ કે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે છે.

ઉત્તર પ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ દરેકના મનમાં એક પ્રશ્ન એ છે કે શું વિપક્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપી શકશે? અને, સૌથી મોટો સવાલ એ છે કે વિપક્ષમાંથી કયો નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પડકાર બની શકે છે. આ સવાલો વચ્ચે એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે જેના પરિણામો ચોંકાવનારા છે. આ પોલમાં આજે યોજાનાર લોકસભા ચૂંટણી હોવાની સ્થિતિમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલને લઈને લોકોનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly