Team India 2011 World Cup: ટીમ ઈન્ડિયાએ તેનો છેલ્લો વન-ડે વર્લ્ડકપ 2011માં જીત્યો હતો. આ સમયે ભારતીય ટીમનો કેપ્ટન એમએસ ધોની (MS Dhoni) હતો. ભૂતપૂર્વ પસંદગીકાર રાજા વેંકટ 2011ના વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની (ટીમ india) પસંદગી કરનારી સિલેક્શન પેનલમાં સામેલ હતા. રાજા વેંકટે વર્ષો બાદ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજા વેંકટે (Raja Venkat) એમએસ ધોનીના કારણે વનડે વર્લ્ડ કપ 2011માંથી બહાર થઈ ગયેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીનું નામ જાહેર કર્યું છે.
પૂર્વ પસંદગીકારે વર્ષો પછી જાહેર કર્યું મોટું રહસ્ય
ટીમ ઈન્ડિયાનો વર્તમાન કેપ્ટન રોહિત શર્મા 2011ના વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનો ભાગ ન હતો. આ ટુર્નામેન્ટ પહેલા તે સાતત્યપૂર્ણ રહ્યો હતો. તે ટીમનો ભાગ બની રહ્યો હતો, પરંતુ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. ભૂતપૂર્વ પસંદગીકાર રાજા વેંકટે (Raja Venkat) હવે ખુલાસો કર્યો છે કે રોહિત શર્માને તે સમયના કેપ્ટન એમએસ ધોનીના કારણે વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ધોની સ્પિનર પિયુષ ચાવલાને ટીમમાં ઈચ્છતો હતો, જેના કારણે રોહિતને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો.
રાજા વેંકટના આ નિવેદનથી સનસનાટી મચી ગઈ
રાજા વેંકટે રેવ્સપોર્ટ્ઝ સાથેની વાતચીતમાં કહ્યું, “જ્યારે અમે ટીમની પસંદગી કરવા બેઠા હતા, ત્યારે રોહિત અમારી યોજનામાં હતો. યશપાલ શર્મા અને હું તે વખતે સાઉથ આફ્રિકામાં હતા કારણ કે ભારતીય ટીમ આફ્રિકા પ્રવાસે જઈ રહી હતી અને અન્ય ત્રણ પસંદગીકારો – શ્રીકાંત, સુરેન્દ્ર ભાવે અને નરેન્દ્ર હિરવાણી ચેન્નાઈમાં હતા. જ્યારે અમે ટીમની પસંદગી કરી રહ્યા હતા, ત્યારે પેનલે 1 થી 14 સુધીના દરેક ખેલાડીના નામ સ્વીકાર્યા હતા. નંબર 15 પર અમે રોહિતનું નામ સૂચવ્યું હતું. તત્કાલીન કોચ ગેરી કર્સ્ટનને પણ લાગ્યું કે તે એક સંપૂર્ણ પસંદગી છે. પરંતુ કેપ્ટન ધોની પિયુષ ચાવલાને ટીમમાં રાખવા માંગતો હતો, તેથી કર્સ્ટન પણ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. તેથી રોહિત શર્માને આ રીતે આઉટ થવું પડ્યું.”
વન-ડેમાં રોહિત શર્માના આંકડા
રોહિત શર્માના (Rohit Sharma) વનડેમાં ઘણા શાનદાર ફિગર્સ છે. રોહિત શર્મા (Rohit Sharma) ભારત માટે અત્યાર સુધી 244 વનડે મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 48.69ની એવરેજથી 9837 રન બનાવ્યા છે. તેણે વન-ડેમાં 30 સદી અને 48 અડધી સદી ફટકારી છે. રોહિત શર્મા (Rohit Sharma) વન ડે ફોર્મેટમાં 3 બેવડી સદી ફટકારનારો વિશ્વનો એકમાત્ર બેટ્સમેન પણ છે.