આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ દેશની ચાર અલગ અલગ સહકારી બેંકો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ મુજબ ગ્રાહકો ફક્ત મર્યાદામાં જ તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. આરબીઆઈએ સહકારી બેંકની કથળતી નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લીધો છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર સાઈબાબા જનતા સહકારી બેંક, ધ સૂરી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંક લિ., સુરી (પશ્ચિમ બંગાળ) અને બહરાઈચની નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બેંકોના ગ્રાહકોની પરેશાનીઓ હવે વધવાની છે.
આદેશ અનુસાર સાઈબાબા જનતા સહકારી બેંકના ગ્રાહકો હવે તેમના ખાતામાંથી 20,000 રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. જ્યારે સુરતી ફ્રેન્ડ્સ યુનિયન કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો માટે આ ઉપાડની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સહકારી બેંકના ગ્રાહકો તેમના ખાતામાંથી વધુમાં વધુ 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.
તમને જણાવી દઈએ કે ગ્રાહકો નેશનલ અર્બન કોઓપરેટિવ બેંકમાંથી 10,000 રૂપિયા સુધી ઉપાડી શકશે. નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકના ગ્રાહકો 10 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. આરબીઆઈએ બિજનૌરની યુનાઈટેડ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર પણ નિયંત્રણો લાદી દીધા છે. પૈસા ઉપાડવા ઉપરાંત આમાં કેટલાક પ્રતિબંધના આદેશો પણ છે.
બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 હેઠળ કેન્દ્રીય બેંક દ્વારા ચાર સહકારી બેંકોને આ નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 6 મહિના સુધી અમલમાં રહેશે. એક રિપોર્ટ અનુસાર, આરબીઆઈએ ‘ફ્રોડ’ના આરોપ પર કાર્યવાહી કરતા સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પર 57.75 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે.