Business News: ભારતીય બેંકો સામાન્ય રીતે તેમના ગ્રાહકોને દર મહિને મર્યાદિત સંખ્યામાં ATM ટ્રાન્જેક્શન કરવાની સુવિધા પૂરી પાડે છે. બેંકો દ્વારા નિર્ધારિત મર્યાદા પછી એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે બેંકો ફી વસૂલે છે. બેંકો અમર્યાદિત ATM ટ્રાન્ઝેક્શનની સુવિધા પણ આપે છે, પરંતુ આ માટે ગ્રાહકોએ કેટલીક શરતો પૂરી કરવી પડશે. ભારતની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પણ આ શુલ્ક (SBI ATM ટ્રાન્ઝેક્શન ચાર્જીસ) વસૂલે છે.
SBI ચાર્જિસ ટ્રાન્જેક્શન અને શહેરના પ્રકાર પર પણ આધાર રાખે છે. એટલે કે મેટ્રો અને સામાન્ય શહેરોના ચાર્જ અલગ-અલગ છે. આ સિવાય એસબીઆઈ એટીએમ કાર્ડ ધારકને એસબીઆઈ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને કોઈપણ અન્ય બેંકના એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે વધુ પૈસા ચૂકવવા પડી શકે છે.
દરેક બેંક ગ્રાહક માટે એટીએમ કાર્ડના શુલ્ક વિશે જાણવું મહત્વપૂર્ણ છે. આનાથી ગ્રાહક ન માત્ર બિનજરૂરી ચાર્જ ટાળે છે પરંતુ ચાર્જ વિશે જાણ્યા પછી બેંક કર્મચારીઓ સાથે બિનજરૂરી દલીલ પણ કરવી પડતી નથી. આજે અમે તમને SBI ATM ચાર્જ વિશે વિગતવાર જણાવીશું.
દેશની સૌથી મોટી બેંક તેના ગ્રાહકોને અમુક શરતોને આધીન તેના પોતાના ATM તેમજ અન્ય બેંકોના ATM પર અનલિમિટેડ મફત ATM વ્યવહારો ઓફર કરે છે. SBI સેવિંગ્સ બેંક એકાઉન્ટમાં સરેરાશ માસિક રૂ. 25,000 થી વધુનું બેલેન્સ જાળવી રાખનારા ગ્રાહકો બેંકના ATM નેટવર્કમાં અનલિમિટેડ ATM ટ્રાન્જેક્શન કરી શકે છે. જ્યારે, અન્ય બેંકોના ATMમાં આ સુવિધા મેળવવા માટે SBI ગ્રાહકે 1 લાખ રૂપિયાનું બેલેન્સ જાળવવું પડશે.
SBI ખાતામાં 1 લાખ રૂપિયા સુધીનું માસિક બેલેન્સ જાળવી રાખનારા ગ્રાહકો દેશના છ મેટ્રો શહેરો એટલે કે મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં અન્ય બેંકોના ATMમાંથી 3 મફત ટ્રાન્જેક્શન કરી શકે છે. તે જ સમયે, અન્ય શહેરોમાં છ ટ્રાન્ઝેક્શન મફતમાં કરી શકાય છે.
જો કોઈ SBI બેંક એકાઉન્ટ ધારક તેના ખાતામાં 25,000 રૂપિયાનું માસિક બેલેન્સ જાળવી રાખે છે, તો તેને SBI ATM પર એક મહિનામાં પાંચ મફત ટ્રાન્જેક્શન મળશે. જે લોકો તેમના ખાતામાં 25,000 રૂપિયાથી વધુ રાખે છે તેમને અનલિમિટેડ ટ્રાન્જેક્શનની સુવિધા મળે છે. જો SBI ખાતાધારક અન્ય બેંકોમાં પણ અનલિમિટેડ ATM ટ્રાન્ઝેક્શન કરવા માંગે છે, તો તેણે 1 લાખ રૂપિયાનું માસિક સરેરાશ બેલેન્સ જાળવી રાખવું પડશે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
જો કોઈ ગ્રાહક SBI દ્વારા નિર્ધારિત મર્યાદા પછી કોઈપણ ATM ટ્રાન્ઝેક્શન કરે છે, તો તેણે ચાર્જ ચૂકવવો પડશે. જો તમે SBI સિવાય અન્ય કોઈ બેંકના ATMનો ઉપયોગ કરો છો, તો તમારે પ્રતિ નાણાકીય ટ્રાન્જેક્શન માટે 20 રૂપિયા ચૂકવવા પડશે. આના પર પણ GST લાગુ થશે. તેવી જ રીતે, SBI ATMમાંથી પૈસા ઉપાડવા અથવા અન્ય કોઈ ટ્રાન્જેક્શન કરવા માટે તમારે 10 રૂપિયા અને તેના પર GST ચૂકવવો પડશે.