National News: ભારતની પ્રીમિયમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સુપર ફાસ્ટ સર્વિસ માટે જાણીતી છે. આ ટ્રેનમાં સ્પીડની સાથે-સાથે ખાણી-પીણી તેમજ સ્ટાફને લઇને મુસાફરોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. પરંતુ આ જ ટ્રેનમાં મુસાફરોને વાસી ભોજન પીરસાયું છે.
યાત્રિકોએ પરત કર્યું ભોજન
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એવું સાબિત થતું હતું કે, મુસાફરોને ખરાબ જમવાનું પીરસાયું હતું. તેથી યાત્રિકોએ ભોજન પરત પણ કરી દીધું. આ અંગેની ફરિયાદ આકાશ કેશરીએ સોશિયલ મીડિયા પર કરી હતી અને IRCTCએ જવાબ પણ આપ્યો હતો.
IRCTCએ શું કહ્યું?
ટ્વીટર યૂઝર આકાશના મતે ટ્રેનમાં વાસી ખાવાનું પીરસવામાં આવ્યું હતું. જેના લીધે તમામ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, આ સમસ્યા અંગે IRCTCએ વળતા જવાબમાં કહ્યું હતું કે, સર… તમારા અસંતોષકારક અનુભવથી અમને અફસોસ છે. આ ઘટના ગંભીરતાથી લેવામાં આવી છે. સેવા આપનારને દંડ ફટકારવામાં આવ્યો છે સાથે જ જવાબદાર કર્મચારીને હટાવવામાં પણ આવ્યા છે. આ સિવાય લાઇસન્સ ધારકને કડક સૂચના પણ આપવામાં આવી છે.
VGGS2024: ઈસરોએ મોટી કરી જાહેરાત, 2040 સુધીમાં લોન્ચ કરશે પોતાનું સ્પેસ સ્ટેશન
VGGS2024: ગુજરાતમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં NDB-ન્યૂ ડેવલપમેન્ટ બેંક 500 મિલિયન ડોલર લોન આપશે
સમગ્ર જવાબ બાદ યૂઝરે ફરી IRCTCને પ્રશ્ન કર્યો હતો કે, તમે જે-તે વ્યક્તિને દંડ ફટકાર્યો પરંતુ એમાં મુસાફરોના ઠરાવનું શું??? ત્યારે યૂઝરના પ્રશ્નનનો કોઇ જવાબ મળ્યો હતો.