ટીવીનો સૌથી લોકપ્રિય ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ તેની 13મી સીઝન સાથે પાછો શરૂ થયો છે. આ શોએ આપણને બધાને ઘણા બુદ્ધિશાળી અને જાણકાર લોકોનો પરિચય કરાવ્યો છે. આ સાથે ઘણા લોકોના જીવનમાં પણ બદલાવ આવ્યો છે. આવા જ એક સ્પર્ધક હતા સુશીલ કુમાર, જેણે KBC 5 જીત્યુ હતુ. આ વિશે વિગતે વાત કરીએ તો સુશીલ કુમાર KBC 5 નો ભાગ બન્યો. તેની બુદ્ધિમત્તાના કારણે તેણે આ શો જીત્યો અને 5 કરોડની રકમ જીતી લીધી.
અમિતાભ બચ્ચન પણ બિહારના સુશીલ કુમારની પ્રતિભાના વખાણ કરતા રહી ગયા. 5 કરોડની રકમે સુશીલ કુમારનું જીવન બદલી નાખ્યું હતું. જો કે ટૂંક સમયમાં તેમના ખરાબ દિવસો પણ આવી ગયા હતા. સુશીલ કુમારે ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે કૌન બનેગા કરોડપતિ જીત્યા બાદ તેમનો ખરાબ સમય શરૂ થયો અને ટૂંક સમયમાં તે ગરીબ બની ગયો.
તેણે લખ્યું, ‘2015-16નો સમય મારા માટે ઘણો મુશ્કેલ હતો. સ્થાનિક સેલિબ્રિટી હોવાને કારણે હું બિહારમાં અલગ-અલગ જગ્યાએ મહિનામાં 10 થી 15 શોમાં હાજરી આપતો હતો. આ દરમિયાન હું મારા અભ્યાસમાંથી પણ દૂર જતો રહ્યો હતો. કારણ કે હું એક સ્થાનિક વ્યક્તિ હતો, તે સમયે હું મીડિયાને ખૂબ ગંભીરતાથી લેતો હતો.
આગળ તેણે લખ્યુ કે ઘણી વખત પત્રકારો મારા વિશે લખતા હતા અને મારો ઇન્ટરવ્યુ પણ લેતા હતા. મને તેમની સાથે વાત કરવાનો કોઈ અનુભવ નહોતો, પરંતુ તેમ છતાં હું તેમને મારા વ્યવસાય અને અન્ય બાબતો વિશે જણાવતો હતો જેથી લોકો એવું ન વિચારે કે હું બેરોજગાર છું. જોકે મારો ધંધો થોડા દિવસોમાં બગડી જતો હતો.
સુશીલના કહેવા પ્રમાણે KBC પછી હું એવો દાન આપનાર ગયો હતો જેને ગુપ્ત રીતે દાન કરવાનું પસંદ હતું. હું એક મહિનામાં અનેક ઈવેન્ટ્સમાં હાજરી આપીને પૈસા દાન કરતો હતો જેના કારણે ઘણી વખત લોકોએ મારી સાથે છેતરપિંડી કરી હતી જેની મને બહુ મોડે ખબર પડી. સુશીલે જણાવ્યું કે અભ્યાસથી દૂર રહેવાના કારણે તે અન્ય લોકો સાથે વાત કરવામાં સંકોચ કરવા લાગ્યો.
આગળ વાત કરતા તેણૅ કહ્યું કે સમય જતાં તેને દારૂ અને ધૂમ્રપાનની લત લાગી ગઈ હતી. તે એક રાત્રે ફિલ્મ જોઈ રહ્યો હતો અને તેની પત્ની તેના પર ગુસ્સે થઈ ગઈ. તે ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી ગયો. આ પછી એક અંગ્રેજી અખબારના પત્રકારે તેમને ફોન કર્યો. પત્રકાર સાથે તેની વાતચીત સારી ચાલી રહી હતી જ્યારે તેણે સુશીલને એવો કોઈ પ્રશ્ન પૂછ્યો જે તેને પસંદ ન હતો.
તેના જવાબમાં તેણે કહ્યું કે કેબીસીમાંથી તેણે જીતેલા તમામ પૈસા ગયા છે અને તે બે ગાયો ઉછેરી રહ્યો છે અને તેનું દૂધ વેચી રહ્યો છે. આ સમાચાર ફેલાયા પછી બધાએ પોતાને સુશીલ કુમારથી દૂર કરી દીધા હતા. જો કે, ફિલ્મોનો ચાહક હોવાથી સુશીલે મુંબઈ આવીને પોતાનું નસીબ અજમાવ્યું.
સુશીલ કુમારના કહેવા પ્રમાણે તેણે ફિલ્મી દુનિયા વિશે જાણ્યું. એક મિત્ર સાથે રહીને ત્રણ સ્ક્રિપ્ટ લખી. આ પછી એક નિર્માતાએ 20 હજાર રૂપિયામાં આ સ્ક્રિપ્ટ ખરીદી. મુંબઈથી પાછા બિહાર ગયા પછી તેમણે શિક્ષક બનવાની તૈયારી કરી. આ બાદ સમય જતાં તેણે દારૂ અને સિગારેટ બંનેનો ત્યાગ કર્યો. હવે સુશીલ કુમાર પર્યાવરણની સુધારણા માટે કામ કરે છે.