ટામેટા મોંઘા થવાનું અસલી કારણ બહાર આવી ગયું, ફટાફટ જાણી લો, હજુ 300 રૂપિયે કિલો થાય એવી પણ શક્યતા

Desk Editor
By Desk Editor
Share this Article

India News : દેશભરમાં મોંઘવારીથી (inflation) હાહાકાર મચી ગયો છે. પરવળ, ભીંડા, કારેલા, દુધી અને કેપ્સિકમ સહિત લગભગ તમામ પ્રકારના લીલા શાકભાજી (Green vegetables) મોંઘા થઈ ગયા છે. પરંતુ ટામેટાંનો દર દરેકને પરેશાન કરી રહ્યો છે. દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ ટામેટા 120થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. પરંતુ, સૌથી મોંઘા ટામેટા રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi) છે. બુધવારે અહીં ઘણી જગ્યાએ ટામેટા 259 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા હતા.

 

જોકે, એક સપ્તાહ પહેલા દિલ્હીમાં ટામેટાંના ભાવમાં અમુક અંશે ઘટાડો થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીના ઘણા બજારોમાં ટામેટાં 120-150 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયા હતા. પરંતુ મંગળવારથી ફરી ભાવ વધવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં, લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે અન્ય રાજ્યોની તુલનામાં દિલ્હીમાં ટામેટાં શા માટે આટલા મોંઘા છે. આખરે ભાવ ઘટ્યા બાદ ફરી ભાવ કેમ વધ્યા? આ સવાલોથી દિલ્હીવાસીઓ મોંઘવારીને લઈને ચિંતિત છે. પરંતુ તેમને ટેન્શન લેવાની જરૂર નથી. ભાવવધારાનું સાચું કારણ સામે આવ્યું છે.

 

 

ટામેટાંની માત્ર 6 ટ્રક આવી

ટામેટા ઉત્પાદક રાજ્યોમાં વરસાદને કારણે ટામેટાના ઉત્પાદનને અસર થઈ છે. આ કારણે દિલ્હીમાં માગ પ્રમાણે ટામેટાંની સપ્લાય થતી નથી. દિલ્હીની આઝાદપુર મંડીમાં બુધવારે ટામેટાંની માત્ર 6 ટ્રક જ આવી હતી, જે માંગના માત્ર 15 ટકા છે. આનો અર્થ એ છે કે દિલ્હીમાં ટામેટાના પુરવઠાનો ૮૫ ટકા હિસ્સો હજી પણ અસરગ્રસ્ત છે. આવી સ્થિતિમાં, બજારમાં ટામેટાંની ઓછી ઉપલબ્ધતાને કારણે કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. હાલ કર્ણાટક અને આંધ્રપ્રદેશથી દિલ્હીને ટામેટાં સપ્લાય કરવામાં આવી રહ્યાં છે. આવી સ્થિતિમાં માલભાડાનો ખર્ચ પણ વધી રહ્યો છે.

 

ટામેટાંના ભાવે ફરીથી લોકોને રાતે પાણીએ રડાવ્યા, 260 રૂપિયાના એક કિલો, હજુ આના કરતા પણ ભાવ વધારો થવાની શક્યતા, જાણો કારણ

આ લખનઉ છે સાહેબ, જો ગાડી નો પાર્કિગમાં ઊભી રાખી તો…. મંત્રી અને પોલીસના પણ મેમો ફાટ્યા, આખા ભારતમાં કિસ્સાની જોરદાર ચર્ચા

અમને ધમકી મળી છે, જો ઘર ખાલી નહીં કરીએ તો… હિંસા બાદ નૂંહ ગુરુગ્રામમાંથી બુલેટ ટ્રેનની ગતિએ પલાયન શરૂ, મજદુરો ભાગ્યા

 

છૂટક દુકાનોમાં ટામેટાં 259 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયા

આ સાથે જ આઝાદપુર ટોમેટો એસોસિએશનના પ્રમુખ અશોક કૌશિકે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હીમાં ટામેટાંનું આગમન ઘટ્યું છે. ભારે વરસાદને કારણે ટામેટા ઉત્પાદક રાજ્યોમાં પાક નાશ પામ્યો છે. તેમણે કહ્યું કે બુધવારે આઝાદપુર મંડીમાં માત્ર ૧૫ ટકા ટામેટાં પૂરા પાડવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે દિલ્હીમાં ટામેટાના ભાવ ફરી એકવાર વધવા લાગ્યા છે. તે જ સમયે, મધર ડેરીએ બુધવારે તેની સફલ રિટેલ દુકાનોમાં ટામેટાં 259 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચ્યા હતા.

 

 


Share this Article