પશ્ચિમ બંગાળની મમતા સરકાર પર મોટા કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ કૌભાંડ લગભગ 2000 કરોડનું જણાવવામાં આવી રહ્યું છે. આ હેરાફેરીએ પૈસામાં પણ કરવામાં આવી છે જે ગરીબો અને તોફાનથી પ્રભાવિત પીડિતો માટે મકાનો બનાવવા માટે હતી. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) એ તેને ‘હાઈ રિસ્ક ફ્રોડ’ ગણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તેની તપાસ કરાવવાની માંગ પણ કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ રૂપિયા મે 2020 અને જાન્યુઆરી 2021 વચ્ચે વહેંચવામાં આવ્યા હતા. CAG એ ગૃહ મંત્રાલયને મોકલેલા તેના અહેવાલમાં ધ્યાન દોર્યું છે કે પશ્ચિમ બંગાળ સરકારે કલકત્તા હાઈકોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને રાહત વિતરણના ઓડિટમાં સહકાર આપ્યો નથી. કેગના આ જ રિપોર્ટમાં અયોગ્ય રીતે લાભાર્થીઓની પસંદગી અને નાણાંની યોગ્ય રીતે વહેંચણી ન કરવાના આરોપો લગાવવામાં આવ્યા છે.
રિપોર્ટમાં તપાસ બાદ સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. કેગના જણાવ્યા અનુસાર લાભાર્થીઓની પસંદગીમાં પણ ગોટાળા કરવામાં આવી છે. લગભગ 1500 કેસ એવા પણ મળી આવ્યા છે, જેને વાવાઝોડામાં કોઈ નુકસાન થયું નથી, તેમ છતાં મમતા સરકારે તેમને 94 લાખ રૂપિયા ચૂકવ્યા.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ચૂકવણીમાં હેરાફેરી પણ શક્ય છે. CAGએ આ ઓડિટ કલકત્તા હાઈકોર્ટના આદેશ પર કર્યું છે. આ ઓડિટ ફેબ્રુઆરી 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે અમ્ફાન તોફાનથી બંગાળ, ઓરિસ્સા અને કેટલાક અન્ય દરિયાકાંઠાના વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. 190 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે લગભગ 72 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
આ વર્ષે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમ્ફાન તોફાનની સહાય રકમમાં કૌભાંડને લઈને મમતા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્રની મોદી સરકારે મમતા સરકારને 10,000 કરોડ રૂપિયાની મદદ મોકલી હતી, પરંતુ પશ્ચિમ બંગાળના લોકોને કંઈ મળ્યું નથી. શાહે આરોપ લગાવ્યો હતો કે આ નાણા ભતિજા એન્ડ કંપની દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા.