નાણાં મંત્રી ર્નિમલા સીતારમણ ૧ ફેબ્રુઆરીએ જ્યારે ૨૦૨૨-૨૩નું બજેટ રજૂ કરશે તો બધાની નજર નોકરીયાતને મળનારી રાહતો પર રહેશે. આશા છે કે સરકાર આ ક્લાસને ઇન્કમમાં વધારે છૂટ આપી શકે છે અને પીએફ પર મળનારી ટેક્સ છૂટ વધારી ડબલ કરી શકે છે. હાલ પ્રોવિડન્ટ ફંડમાં વાર્ષિક ૨.૫ લાખ રૂપિયા સુધીના અંશદાન પર જ ટેક્સ છૂટ મળે છે. આ કર્મચારીઓની સામાજિક સુરક્ષાનો સૌથી મહત્વનો વિકલ્પ માનવામાં આવે છે. જેથી સરકાર આ લિમિટને વધારવા પર વિચાર કરી શકે છે. બજેટ પહેલા થયેલી ચર્ચામાં પણ આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો.
જેમાં સરકારી કર્મચારીઓ સાથે ખાનગી ક્ષેત્રના નોકરીયાતને પણ ૫ લાખ સુધી પીએફ અંશદાન પર ટેક્સ છૂટની વાત કરવામાં આવી છે. વિભિન્ન મંત્રાલયો અને વિભાગો સાથે થયેલી બેઠકમાં કહેવામાં આવ્યું કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા આખું પીએફ અંશદાન તેમના cost To Compony નો ભાગ હોય છે. જેમાં નિયોક્તા તરફથી જમા કરાતા પૈસા પણ સામેલ રહે છે. જેથી ૫ લાખ સુધી ટેક્સ છૂટની રાહત ખાનગી ક્ષેત્રના નોકરીયાતને મળવી જાેઈએ. સરકારે બજેટ-૨૦૨૧માં પીએફ અંશદાન પર ઇન્કમ ટેક્સની છૂટની મર્યાદા ૨.૫ લાખ રૂપિયા નિર્ધારિત કરી હતી.
જાેકે પછી વધારીને ૫ લાખ કરી દીધી હતી પણ તેનો લાભ ફક્ત અંશદાન પર એટલે કે સરકારી કર્મચારીઓને જ મળતો હતો. સરકારના આ પગલાની વિશેષજ્ઞોએ ઘણી ટિકા કરી હતી અને તેને સમાનતાના અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો હતો. ટેક્સ મામલોના જાણકાર બલવંત જૈનનું કહેવું છે કે સરકાર બજેટમાં પીએફ પર ટેક્સ છૂટની મર્યાદા વધારવાની સાથે એ શરત પણ નક્કી કરી શકે છે.
જે અંતર્ગત ૫ લાખ સુધી અંશદાન પર ઇન્કમ ટેક્સ છૂટ ત્યારે જ આપવામાં આવશે જ્યારે નિયોક્તા તરફથી અંશદાન ના કરવામાં આવતું હોય. જાે કર્મચારીના પીએફમાં નિયોક્તા તરફથી અંશદાન કરવામાં આવે છે તો ઇન્કમ ટેક્સની છૂટ મર્યાદા ૨.૫ લાખ રૂપિયા જ રહેશે. કારણ કે કર્મચારી જાે ૨.૫ લાખનું અંશદાન કરી રહ્યો છે તો તેના નિયોક્તા પણ આટલી જ રકમ પીએફ ખાતામાં જમા કરાવશે. બન્ને મળીને ૫ લાખની લિમિટ પુરી થઇ જાય છે.