RBIએ સ્મોલ ફાયનાન્સ બેંકોને સૂચના આપી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સ્મોલ ફાઇનાન્સ બેંકો એટલે કે SFB ને તેમના અલગ-અલગ બેંકિંગ લાઇસન્સ અને મૂડી આધારમાં પ્રમાણસર વૃદ્ધિ સાથે વિકાસ ચાલુ રાખવા જણાવ્યું છે. આરબીઆઈએ પહેલાથી જ SFBને આગળ વધારવા માટે સૂચનાઓ આપી દીધી છે. આ સાથે RBIએ SFB ને પણ પ્રોફેશનલ વલણ અપનાવવાની સલાહ આપી છે.
આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ડેપ્યુટી ગવર્નર એમકે જૈન અને એમ રાજેશ્વર રાવે વિવિધ એસબીએફના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ સાથે બેઠક યોજી હતી. આમાં આરબીઆઈએ સ્મોલ ફાઇનાન્સ બેંકોને ડિફરન્શિએટ બેંકિંગ લાઇસન્સ અનુસાર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. RBIએ જણાવ્યું હતું કે, ‘શુક્રવારે યોજાયેલી બેઠકમાં, ટકાઉ વૃદ્ધિ માટે SBFsના મહત્વનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો, ખાસ કરીને તેમના બિઝનેસ મોડલ અને ગવર્નન્સ સહિત અન્ય વિષયો તેમજ સેક્ટરમાં થતા ફેરફારોનો સ્ટોક લેવામાં આવ્યો હતો.’
આ ઉપરાંત સેન્ટ્રલ બેંકે કહ્યું છે કે નાની ફાઇનાન્સ બેંકોને તેમને મળેલા વિવિધ બેંકિંગ લાઇસન્સ અને તેમની મૂડી આધારમાં પ્રમાણસર વૃદ્ધિ સાથે આગળ વધવાનું ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સ્મોલ ફાઇનાન્સ બેંકોના વડાઓ સાથે પણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બિઝનેસ મોડલ વિકસાવવા, બોર્ડ ઓફ ડિરેક્ટર્સની દેખરેખ વધારવા, વ્યાવસાયિક વલણ અપનાવવા, આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે આ બેઠકમાં કોવિડ-19ના કારણે થતા દબાણને દૂર કરવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી.