Monu Manesar Nuh violence: હરિયાણાના નુહમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી છે. પોલીસે જણાવ્યું હતું કે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદની ધાર્મિક સરઘસ દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેની અથડામણ બાદ સોમવારે નુહમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, જેમાં બે હોમગાર્ડ્સ માર્યા ગયા હતા, 200 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને ડઝનેક વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા.
નુહમાં ભડકેલી હિંસામાં હવે હરિયાણા બજરંગ દળના સભ્ય મોનુ માનેસરનું નામ સામે આવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, એક ધાર્મિક સરઘસ દરમિયાન ફાટી નીકળેલી નુહ સાંપ્રદાયિક હિંસાના કેન્દ્રમાં બજરંગ દળના સભ્ય મોનુ માનેસર છે, જેમની સામે ફેબ્રુઆરી 2023 માં ભિવાનીમાં બે મુસ્લિમ પુરુષોની હત્યાના સંબંધમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મોનુ માનેસર ઉપરાંત, અન્ય 20 લોકો પર 16 ફેબ્રુઆરી, 2023 ના રોજ બળેલા વાહનની અંદર મૃત હાલતમાં મળી આવેલા બે મુસ્લિમ પુરુષોના અપહરણ અને હત્યા માટે કેસ નોંધવામાં આવ્યો હતો.
મોનુ માનેસર બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત શોભાયાત્રામાં જોડાશે તેવી અફવાઓ ફેલાયા બાદ નુહ હિંસા ફાટી નીકળી હતી. શોભાયાત્રામાં જોડાવાની શક્યતા વચ્ચે 30 જુલાઈના રોજ ફરાર થયેલા મોનુ માનેસરનો એક વીડિયો પણ ઓનલાઇન શેર કરવામાં આવ્યો હતો. બીજા દિવસે, 31 જુલાઈએ બપોરે 2 વાગ્યા પછી થયેલી અથડામણમાં બે પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા.
કોણ છે મોનુ માનેસર?
મોહિત યાદવ ઉર્ફે મોનુ માનેસર હરિયાણામાં બજરંગ દળની ગૌ રક્ષક શાખાનો વડા છે.મોહિત યાદવ માનેસરનો રહેવાસી છે.મોનુ માનસીરે પોલિટેકનિક ડિપ્લોમાની ડિગ્રી મેળવી છે.કોલેજના બીજા વર્ષમાં તેઓ બજરંગ દળમાં જોડાયા હતા. મોનુ માનસીર છેલ્લા 10-12 વર્ષથી બજરંગ દળ સાથે જોડાયેલા છે.છેલ્લા કેટલાક સમયથી તે ગાયના દાણચોરો સાથેના મુકાબલાના ચહેરા તરીકે ઉભરી આવ્યો છે.મોનુ ગૌ રક્ષા ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે.
મોનુ માનેસરે ભિવાની હત્યા કેસમાં પોતાની સંડોવણીને નકારી કાઢી છે.આ કેસ બે મુસ્લિમ પિતરાઈ ભાઈઓ જુનૈદ અને નાસિરના મૃત્યુ સાથે સંબંધિત છે, જેમના સળગેલા મૃતદેહો ભિવાની જિલ્લામાં એક ફોર વ્હીલરની અંદરથી મળી આવ્યા હતા.તેમના પરિવારજનોનો આરોપ છે કે બજરંગ દળના સભ્યોએ તેમનું અપહરણ કરીને તેમની હત્યા કરી હતી.સંગઠને આરોપોને નકારી કાઢ્યા છે.
હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર
મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો
મોનુ માનેસર સોશિયલ મીડિયા પર પોતાને એક પ્રભાવશાળી વ્યક્તિ તરીકે રજૂ કરે છે. ભૂતકાળમાં પોલીસ અધિકારીઓ અને અમલદારો સાથેની તેની તસવીરો સામે આવી છે. મોનુ માનેસરની યુટ્યુબ ચેનલ પણ ઘણી ચર્ચામાં રહી હતી, જેમાં બતાવવામાં આવ્યું હતું કે ગૌરક્ષા જૂથ ગૌ તસ્કરોને કેવી રીતે પકડે છે. ઓક્ટોબર 2022 માં, મોનુ માનેસરે તેની ચેનલ પર 1 લાખ સબ્સ્ક્રાઇબર્સને પાર કરવા માટે યુટ્યુબ તરફથી સિલ્વર પ્લે બટન મેળવવાની ખુશી પણ વ્યક્ત કરી હતી.