શું ધીરેન્દ્ર શાસ્ત્રી કોંગ્રેસ માટે 121 કિલોમીટરની પદયાત્રા કરશે? બાગેશ્વર ધામમાંથી આવ્યું સૌથી મોટુ અપડેટ

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે ભૂતકાળમાં બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મંદિરમાં ભગવાન હનુમાનની પૂજા પણ કરી હતી. ત્યારથી સોશિયલ મીડિયા પર એક અખબારનું કટિંગ અને પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કોંગ્રેસ માટે 121 કિલોમીટરની પદયાત્રા કાઢશે. આ અંગે કમલનાથે બાગેશ્વર બાબા સાથે મુલાકાત કરી હતી. આ કટિંગ અને પોસ્ટર એટલું વાયરલ થયું કે બાગેશ્વર ધામે સ્પષ્ટતા આપવી પડી. બાગેશ્વર ધામે આ સમાચારને નકારી કાઢ્યા છે.

શું હતું પોસ્ટરમાં?

પોસ્ટરમાં દાવો કરવામાં આવ્યો છે કે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કોંગ્રેસ પાર્ટી માટે 121 કિલોમીટરની યાત્રા કરશે. આ પોસ્ટર વિદિશાના ધારાસભ્ય શશાંક ભાર્ગવના નામે રિલીઝ કરીને વાયરલ કરવામાં આવ્યું હતું.lokpatrika advt contact

હવે બાગેશ્વર ધામે આ અંગે સ્પષ્ટતા આપી છે. બાગેશ્વર ધામ તરફથી કહેવામાં આવ્યું છે કે આ સમાચાર સંપૂર્ણપણે ભ્રામક અને ખોટા છે. બાગેશ્વર ધામ કોઈ પક્ષના પક્ષમાં નથી અને રહેશે પણ નહીં. તે ભગવાનના પક્ષમાં જ છે. આ બાગેશ્વર ધામને બદનામ કરવાનું ષડયંત્ર છે.

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કર્યો મોટો ખુલાસો

બાગેશ્વર ધામે વધુમાં જણાવ્યું હતું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એક જ વાત કહે છે કે જે રામનું નથી તે કોઈ કામનું નથી. રામનામનો મહિમા આખી દુનિયા સુધી પહોંચે આ જ તેમની ઈચ્છા છે. પોસ્ટર અને સમાચાર વાયરલ થયા બાદ વિદિશાના ધારાસભ્ય શશાંક ભાર્ગવ તરફથી પણ સ્પષ્ટતા આવી છે.

બુધ-સૂર્ય અને શનિના અદ્ભૂત સંયોગથી આ રાશિઓ થશે માલામાલ, એટલા પૈસા આવી પડશે કે સંભાળવા મુશ્કેલ થઈ જશે

હવામાન વિભાગે ધ્રુજાવી મૂક્યા, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો ખતરો, ચારેબાજુ તૌકતે જેવી તબાહીના એંધાણ!

માનો કે ના માનો પણ આ મંદિર આવ્યું છે હવામાંથી ઉડતું-ઉડતું, ક્યાંય પાયો જ નથી, ખોદકામ કરનાર વૈજ્ઞાનિકોના હોંશ ઉડી ગયાં

તેણે ફેસબુક પર લખ્યું કે બાગેશ્વર બાબાએ કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપ્યું છે. આ ભ્રામક સમાચાર એક અખબારમાં પ્રકાશિત થયા છે. તે સમાચાર સાથે કોઈ અજાણ્યા વ્યક્તિએ મારી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે. બાગેશ્વર બાબા કોઈપણ રાજકીય પક્ષને સમર્થન આપતા નથી. તે ઈચ્છે છે કે રામ નામનો મહિમા આખી દુનિયા સુધી પહોંચે. હું આવા ભ્રામક સમાચારોનું ખંડન કરું છું.


Share this Article