યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. યોગી આદિત્યનાથના શપથવિધિ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા. પીએમ મોદીએ સ્ટેડિયમમાં પ્રવેશ કરતાં જ મોદી-મોદીના નારા ગૂંજી ઉઠ્યા હતા. જ્યાં મંચ પર ગૃહમંત્રી અમિત શાહ, સ્મૃતિ ઈરાની સહિત ભાજપાના હાઈકમાન્ડ નેતા જાેવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથના શપથવિધિ સમારોહમાં સ્ટેડિયમ ભરેલું દેખાયું અને જયશ્રી રામના નારા પણ લાગ્યા હતા. આ કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ બાદ કેશવપ્રસાદ મૌર્યએ પણ શપથ લીધી છે. ઉત્તરપ્રદેશમાં આજે શપથવિધિ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ જ્યારે ઉપ મુખ્યમંત્રી તરીકે કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે શપથ લીધી.
આ સિવાય અન્ય મંત્રીઓમાં સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, શ્રીમતી બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ ચૌધરી, જયવીર સિંહ, ધર્મપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જિતિન પ્રસાદ, રાકેશ સચાન, અરવિંદ કુમાર શર્મા, યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદે શપથ લીધા છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં લખનઉના સ્ટેડિયમમાં યોગીએ સીએમ પદના શપથ લીધા હતા.
યોગીના શપથ લેવાની સાથે જ યુપીમાં યોગી સરકાર ૨.૦ શાસન શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે શપથ લીધા ત્યારે સમગ્ર સ્ટેડિયમ તાળીઓ અને નારાથી ગૂંજી ઉઠ્યું હતું. મુખ્યમંત્રી યોગીની સાથે-સાથે કેશવપ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકેની શપથ લીધી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ઉત્તરપ્રદેશમાં મંત્રીઓની સંખ્યા ૪૫થી ૫૦ની હોઈ શકે છે. શપથવિધિ કાર્યક્રમમાં રાજનેતા સહિત ફિલ્મ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ જેવા વીવીઆઈપી લોકો હાજર રહ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
યોગી આદિત્યનાથે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ ઉતરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે કેશવ પ્રસાદ મૌર્યને ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી તરીકે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. યોગી આદિત્યનાથે આજે બીજીવાર યુપીના મુખ્યમંત્રી પદના શપથ લીધા. યુપીમાં ૩૫ વર્ષ બાદ કોઈ પાર્ટીને સતત બીજીવાર બહુમત મળ્યુ છે.
યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ સમારોહ લખનૌના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઈકાના સ્ટેડિયમમાં સાંજે ૪ વાગે નક્કી કરવામાં આવ્યુ હતું. દેશના મોટા ઉદ્યોગપતિઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતુ. એટલુ જ નહીં યોગી આદિત્યનાથે ખુદ ફોન કરીને સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવ, પૂર્વ સીએમ અખિલેશ યાદવ, બસપા પ્રમુખ માયાવતીને શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવાનુ આમંત્રણ આપ્યું. આ સિવાય સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપ્યા હતા.