કચ્છ માટે વધુ એક નજરાણું, પિંગલેશ્વર બીચને વિકસાવવામાં આવશે, સરકારે રૂ. 5 કરોડની ફાળવણીની આપી સૈદ્ધાંતિક મંજૂરી

Desk Editor
By Desk Editor
Share this Article

Kutch News: અબડાસામાં પ્રવાસનને વેગ આપવા છેલ્લા લાંબા સમયથી પિંગલેશ્વર બીચને વિકસાવવાની ચર્ચા ચાલતી હતી. ત્યારે હવે અંતે રાજ્યના પ્રવાસન વિભાગે પ્રથમ તબક્કે રૂપિયા 5 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. ત્યારે બીચના વિકાસ માટે પ્રથમ તબક્કામાં 5 કરોડ રૂપિયા મંજુર કરાતા ટૂંક સમયમાં પ્રવાસન વિભાગ દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

અબડાસાના મુખ્ય મથક નલિયાથી 30 કિલોમીટરના અંતરે પ્રાચીન પિંગલેશ્વર મહાદેવનું મંદિર જ્યાં યાત્રાળુ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં આવે છે. મહાદેવના મંદિરેથી દોઢ કિલોમીટરના અંતરે સુંદર દરિયાકાંઠે પ્રવાસીઓ અને યાત્રાળુઓ પણ ફરવા જતા હોય છે ત્યારે બીચના વિકાસ માટે પ્રથમ તબક્કામાં 5 કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા હતા.

રણના ખારા પટમાં ઉગ્યું કમળ, સુકા મેવા તરીકે ઓળખાતી કચ્છની દેશી ખારેકને મળ્યું GI ટેગ, 425 વર્ષ પહેલા થઈ હતી આ ખેતીની શરુઆત

Breaking News: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિષય નિષ્ણાંતની ભરતી જાહેર, કરાર આધારિત ઉમેદવારોની કરાશે પસંદગી

“નફાની વાત, અદાણી તમને કરશે માલામાલ…” તમે પણ ખરીદી શકો છો અદાણીના આ 3 નફાકીય શેર, LIC પણ કરે છે આમાં રોકાણ

અબડાસા વિધાનસભાના ધારાસભ્યએ અબડાસાના પિંગલેશ્વર દરિયાકાંઠે સુવિધાઓ ઊભી કરવા માટે દરખાસ્ત કરી હતી જેને તાત્કાલિક અસરથી ફાળવવામાં આવેલી ગ્રાંટ બદલ ધારાસભ્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


Share this Article