Politics News: લોકસભા માટે ભાજપે નામો જાહેર કરી દીધા છે. ત્યારે નામોને લઈ ગુજરાતમાં મોટો વિવાદ જોવા મળી રહ્યો છે. વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેનના વિરોધમાં પોસ્ટર પણ લાગ્યા હતા. આ બધાની વચ્ચે હવે ખુદ સાંસદે ચૂંટણી લડવાની ના પાડી દેતા ચારેકોર ચર્ચા થવા લાગી છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક પર પોસ્ટ મૂકીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
જો કે આ સાથે જ સાબરકાંઠાથી ટિકિટ મેળવનાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી છે. લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરાથી રંજનબેન ભટ્ટે અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતાંની સાથે જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.
આ ઘટનાઓ પછી એ તારણ આવ્યું છે કે વહેલા ઉમેદવારો જાહેર કરનારા ભાજપમાં ઉમેદવારો બદલવાનો સિલસિલો યથાવત છે. અહી સૌથી મોટી વાત તો એ છે કે, ગુજરાતના રાજકારણમાં ક્યારય ન બનતી ઘટનાઓ 2024ની ચૂંટણીમાં બનતી જોવા મળી રહી છે. આજે સવારે વડોદરાના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડ્યા બાદ હવે સાબરકાંઠાના ઉમેદવારે પણ ના પાડી છે. જો કે હજુ બનાસકાંઠાના ઉમેદવારને લઈને પણ બબાલ ચાલતી હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
RTIમાં તમે વિચાર્યું નહીં હોય એવો ખુલાસો, લોકોની ટિકિટ કેન્સલ થઈ એમાંથી રેલવેએ કરી અધધ કરોડની કમાણી
RBI એ શા માટે મોટો નિર્ણય લઈને રવિવારે પણ આખા દેશની બેંકો ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો? જાણો મોટું કારણ
રંજનબેન વિશે વાત કરીએ તો સતત ત્રીજી વખત ભાજપથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયા બાદ જ આંતરિક ડખો ઉભો થતો દેખાયો છે. વડોદરા પૂર્વ મેયરે પણ તેમના વાંધો ઉઠાવ્યો હતો. આ સાથે અનેક કાર્યકરોએ પણ રંજનબેનનો વિરોધ કર્યો હતો અને હવે આખરે રંજનબેને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે.