Navratri 2023: આજે સોમવાર, 16 ઓક્ટોબર 2023, શારદીય નવરાત્રીનો બીજો દિવસ છે. નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નવરાત્રીનો તહેવાર માતા આદિશક્તિ દુર્ગાને સમર્પિત છે. નવરાત્રીના નવ દિવસોમાં દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જાણો કઈ રાશિ માટે નવરાત્રીનો બીજો દિવસ છે ખાસ અને માતા બ્રહ્મચારિણી કઈ ઈચ્છાઓ પૂરી કરે છે.
મા બ્રહ્મચારિણીની કૃપાથી કઇ મનોકામનાઓ પૂર્ણ થાય છેઃ
શાસ્ત્રો અનુસાર નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિ આદિ અને વ્યાધિ રોગોથી મુક્તિ મેળવે છે.
નવરાત્રિના બીજા દિવસનું મહત્વઃ
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી ભગવાન શિવ પણ પ્રસન્ન થાય છે. યમ અને નિયમના બંધનમાંથી મુક્તિ મળે છે. ભગવતીએ બ્રહ્માની પ્રાપ્તિ માટે તપસ્યા કરી, તેથી તેનું નામ બ્રહ્મચારિણી પડ્યું.
કઈ રાશિ માટે આજનો દિવસ છે શુભઃ
નવરાત્રિના તમામ દિવસો તમામ 12 રાશિઓ માટે શુભ રહેશે. પરંતુ આજે નવરાત્રિનો બીજો દિવસ મિથુન અને કન્યા રાશિ માટે ખાસ ફળદાયી રહેવાનો છે.
Gold-Silver Price: નવરાત્રિના બીજા દિવસે સસ્તું થયું સોનું-ચાંદી, શું દિવાળી સુધી ભાવ ઘટશે?
હવામાન વિભાગની ઘાતક આગાહી: ગુજરાત સહિત ૧૮ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે, ખેડૂતો ભયમાં
ગાઝામાં હવે લીરેલીરા ઉડી જશે, ચારેકોર તબાહી મચી જશે, તૈયારી પૂરી, ઇઝરાયેલ એટેક કરે એટલી જ વાર…
નવરાત્રિના બીજા દિવસે કયા રંગના કપડાં પહેરવાઃ
આજે મા દુર્ગાની પૂજા દરમિયાન ભક્તોએ ગુલાબી કે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.