PM મોદીએ આપ્યો સણસણતો જવાબ, કહ્યું- કોંગ્રેસે મને 91 વખત અપમાનિત કર્યો, જનતા જડબાતોડ જવાબ આપવાની જ છે

Lok Patrika Desk
By Lok Patrika Desk
modi
Share this Article

Karnatak Election: કોંગ્રેસ સુપ્રીમો મલ્લિકાર્જુન ખડગેના ‘ઝેરી સાપ’ વિશેના વાંધાજનક નિવેદન પર પલટવાર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને તેના નેતાઓએ અત્યાર સુધીમાં 91 વખત અલગ-અલગ રીતે મારું અપમાન કર્યું છે. આ સાથે પીએમ મોદીએ કોંગ્રેસ પર લિંગાયત સમુદાયનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકર અને વીર સાવરકરને પણ ગાળો આપી છે. પીએમ મોદીએ આજે ​​કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રેલી યોજી હતી.

modi,Gujarati news on modi

જનતા અપશબ્દોનો જવાબ આપશે- નરેન્દ્ર મોદી

આપને જણાવી દઈએ કે 29 માર્ચે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ પહેલીવાર રાજ્યમાં પહોંચેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે જનતા કોંગ્રેસના દુષ્કર્મનો જવાબ વોટથી આપશે. તેઓ ભાજપ પર જેટલો કાદવ ફેંકશે તેટલું જ કમળ ખીલશે.

modi

પીએમ મોદીનો કોંગ્રેસ પર નિશાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ દરેક વ્યક્તિને નફરત કરે છે જે સામાન્ય જનતાની વાત કરે છે, તેમના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરે છે અને સ્વાર્થની રાજનીતિ પર હુમલો કરે છે. આવા લોકો પ્રત્યે કોંગ્રેસની નફરત ઊંડી થાય છે. આ ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી એકવાર મને ગાળો આપવાનું શરૂ કર્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લી ચૂંટણીમાં તેમણે ‘ચોકીદાર ચોર હૈ’નું કેમ્પેન ચલાવ્યું હતું, પછી તેમણે ‘મોદી ચોર હૈ’ કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે ‘ઓબીસી સમુદાય ચોર છે’.

હવે જો હેડફોન વગર વીડિયો જોયા તો 5000 રૂપિયાનો દંડ અને 3 મહિનાની જેલ, ફટાફટ જાણી લો નવો નિયમ

હીટવેવને કારણે અર્થતંત્ર બરબાદ થઈ જશે! રિપોર્ટ જોઈને આખો દેશ હચમચી ગયો, બ્લેક આઉટનો સૌથી મોટો ભય

રાત્રે સુઈ ગઈ અને સવારે આ મોડેલની લાશ બેડરૂમમાં લટકતી મળી, છેલ્લા વીડિયોમાં કહ્યું હતું- મેં ઘણી કોશિશ કરી, પરંતુ….

ખડગેએ તેની સરખામણી ઝેરીલા સાપ સાથે કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગુરુવારે એક ચૂંટણી રેલી દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીની તુલના ઝેરીલા સાપ સાથે કરી હતી. જોકે, વિવાદ બાદ ખડગેએ સ્પષ્ટતા કરી હતી કે તેમનું નિવેદન પીએમ વિરુદ્ધ નહીં પરંતુ સત્તાધારી ભાજપ વિરુદ્ધ છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ રહ્યો છે કે તે ગરીબો અને દેશ માટે કામ કરનારાઓનું અપમાન કરે છે. હું એકલો જ નથી કે જેના પર આ રીતે હુમલો થયો હોય.


Share this Article