ઝીરો વૉટનો બલ્બ ખરેખર ઝીરૉનો હોય છે? જો ચાલુ કરીએ તો કેવી રીતે આપે છે પ્રકાશ? આ વાત જાણીને નવાઇ લાગશે

Desk Editor
By Desk Editor
Share this Article

Knowledge News: આજે પણ ગામડાઓના અમૂક ઘરના ખૂણામાં નાના એવા બલ્બ ઝગમગતા હોય છે. મતલબ કે, બલ્બ ચાલુ હોય છે પરંતુ પૂરતો પ્રકાશ આપી શકતા નથી. આવા બલ્બને ઝીરૉ વૉટનો બલ્બ કહેવાય છે. પરંતુ સવાલ એ છે કે, ઝીરૉ વૉટનો બલ્બ છે તો પ્રકાશ કેવી રીતે આપે છે?

સૌથી પહેલા એ જણાવી દઇએ કે, શૂન્ય વૉટથી કોઇપણ લાઇટિંગ શક્ય નથી. એટલે બલ્બના પ્રકાશ પર આધાર હોય છે કે, તે કેટલા વૉટનો છે. ઓછા પ્રકાશ માટેનો બલ્બ પણ 5 વૉટ સુધીનો હોઇ શકે છે પરંતુ પ્રકાશ માત્ર 0.25 સુધીનો આપતો હોય એવું પણ બને છે.

અયોધ્યા રામ મંદિરઃ ક્યારેક પ્રસાદના નામે તો ક્યારેક વીઆઈપી દર્શનના નામે તો ક્યારેક દાનના નામે થઈ રહી છે છેતરપિંડી, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય

Ayodhya Ram Mandir: અયોધ્યા જતા પહેલા ડાઉનલોડ કરો આ App, તમને તમારા મોબાઈલ પર રામ મંદિર સાથે જોડાયેલી દરેક માહિતી મળી જશે

અયોધ્યા રામ મંદિરઃ આજે મંદિરમાં પ્રવેશ કરશે રામલલા, યજ્ઞ અને હવન સતત રહેશે ચાલુ, જાણો દિવસભરના કાર્યક્રમો

બીજો પ્રશ્ન એ છે કે, તો આ બલ્બને ઝીરો વૉટનો બલ્બ શા માટે કહેવાય છે? તો મીડિયા રિપોર્ટ અનુસાર પ્રાચીન સમયમાં ઉપયોગમાં લેવાતા વીજળીના મીટર ઇલેક્ટ્રો-મેગ્નેટિક એનર્જી મીટર હતા. જો વિદ્યુત લોડ ખૂબ ઓછો હોય તો આ પ્રકારનું મીટર રેકૉર્ડ નહીં કરે. મતલબ કે, સૌથી નાનું ઉપકરણ ચાલુ કરશો તો મીટર પર ભાર નહીં આવે એટલે વૉટ દેખાશે નહીં. બસ ત્યારથી આ બલ્બ વૉટ વૉટનો બલ્બ કહેવાયો છે. એટલે આજની તારીખમાં આ બલ્બથી મીટર પર ભાર આવશે અને વૉટ પ્રમાણે લાઇટબિલ પણ આવશે.


Share this Article