મેઘરાજાએ ફરી એકવાર ગુજરાતને ડુબાડી દીધુ, 179 તાલુકા પાણી પાણી થઇ ગયા, જાણો 24 કલાકમાં ગુજરાતમા કેટલો ખાબક્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
veraval
Share this Article

ગુજરાતમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં એક રાતમાં એવી આફત વરસી કે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે.ગુજરાતના 163 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જૂનાગઢના માળિયા હાટીનામાં તેમજ વાપીમાં 8 ઈંચ, જામનગરના જામજોધપુરમાં 7.3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કુતિયાણામાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતના 71 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

veraval

વેરાવળ અને સુત્રાપાડામાં ફાટ્યું આભ

વેરાવળ અને સોમનાથમાં રાત બાદ પણ વરસાદ ચાલું રહ્યો જેને કારણે બધી જગ્યાએ પાણી પાણી થઈ ગયું હતું. રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન કે પછી હાઈવે હોય કે રહેણાંક સોસાયટી તમામ જગ્યાએ માત્ર પાણીનું જ સામ્રાજ્ય ફેલાયું છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડામાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. વેરાવળ શહેરના બિહારીનગર, અન્નપૂર્ણા સોસાયટી, શિવજી નગર અને હરસિદ્ધિ સોસાયટી સહિતના વિસ્તારોમાં દુકાનો, ઘરોમાં પાણી ઘુસી ગયા છે તો ત્રિવેણી સંગમ ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

veraval

વેરાવળ-કોડીનાર હાઈવે ધોવાયો

મુશળધાર વરસેલા વરસાદને કારણે હાઈવે પણ પાણી-પાણી થઈ ગયા છે. કેટલીક જગ્યાએ તો નદીના ધસમસતા પ્રવાહમાં હાઈવે જ ધોવાઈ ગયા છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પણ ધોવાઈ ગયો છે. સોનારીયા પાસે હાઈવે પરનો પુલ પાણીની તાકાત સામે ટકી ન શક્યો. પૂરના પાણી રોડ પર વહેવા લાગતા વેરાવળ તરફનો સંપર્ક જ તૂટી ગયો છે. ધોધમાર વરસાદ વરસતા સોમનાથથી 3 કિલોમીટર દૂર નેશનલ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેને લઈ સોમનાથ નેશનલ હાઇવે હજુ પણ બંધ છે. તો બીજી તરફ ગામોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે NDRFની ટીમો પણ કામે લાગી ગઈ છે.

veraval

સૌરાષ્ટ્રને બરાબરનું ધમરોળ્યા બાદ આજે ઉત્તર ગુજરાતમાં વાદળ ફાટશે, ઝડપી પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

160 કિલોમીટરની ઝડપે આવતી કારે અમદાવાદમાં 9 લોકોનો જીવતા જ મારી નાખ્યાં, રાજકોટના શખ્સે માનવતા નેવે મૂકીને કારનામું કર્યું

આ બધાની વચ્ચે પ્રથમવાર એવું બન્યું કે ધોધમાર વરસાદને કારણે ભાલકા મંદિર પરિસર સુધી પાણી પહોંચી ગયું અને પ્રથમવાર મંદિર પરિસર બેટમાં ફેરવાઈ ગયું. અવિરત વરસેલા વરસાદને કારણે નદીઓ પણ ગાંડી તૂર બની છે. હિરણ હોય કે સરસ્વતી નદી ગીર સોમનાથ જિલ્લાની તમામ નાની મોટી નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે ખેતરો તળાવ બની ગયા છે. જેને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.


Share this Article