અંબાલાલ પટેલે આ પહેલા જણાવ્યું હતું કે, 8થી 14 એપ્રિલ સુધી આંધી, વંટોળ સાથે કમોસમી વરસાદ અને કરા પણ પડી શકે છે. 22 એપ્રિલ એટલે કે અખાત્રીજના દિવસે પણ માવઠું થઈ શકે છે. આ વખતનું ચોમાસું નબળું રહેશે. આ આગાહીના કારણે ધરતીપુત્રો અને લોકોની ચિંતા વધી ગઈ છે. પરંતુ હવે હવામાન વિભાગે આના કરતાં પણ વહેલી એટલે કે 6-7 એપ્રિલમાં જ વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, વધુ એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જેના કારણે 6 અને 7 એપ્રિલના ઉતર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં માવઠુ થવાની શક્યતા છે.
અંબાલાલ અને હવમાન ફરીથી એવું કહેવા માગે છે કે ગુજરાત માટે ભારે દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. હાલમાં પણ ગુજરાતમાં ઉનાળો અને ચોમાસું ભેગું ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. એપ્રિલ શરૂ થયાને ત્રણ દિવસ થયા છે. ત્યારે આ મહિને પણ વારંવાર વાતાવરણમાં પલટો આવવાના એંધાણ છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે.
જો કે આ સાથે જ વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ગરમીમાં પણ વધારાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી પહોંચવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ભારે પવન ફૂંકાશે.
ક્યાંક 7.3 તો ક્યાંક 4.3… ભારત સહિત ધરતી પર અલગ-અલગ દેશોમાં ધરા ધ્રુજી, ચોમેર લોકોમાં ફફડાટનો માહોલ
તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને અગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે પશ્ચિમી વિક્ષેપને કારણે ફરી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. વીજળીના કડાકા સાથે ઘણાં વિસ્તારમાં કરા પણ પડી શકે છે. ત્યારે હવે ખેડૂતો રાતે પાણીએ રડી રહ્યા છે, કારણ કે પાકની પથારી ફરી ગઈ છે અને જેના કારણે લાખો કરોડોનું નુકસાન થયું છે.