એક ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના મણિનગરના રહેવાસી જીગર મોદી સહિત બીજા ચાર લોકો હરિદ્વારથી કેદારનાથ ગાડી લઇને જઇ રહ્યા હતા. આ દરમિયાન ગાડી પર જ લેન્ડસ્લાઇડ થયુ હતુ. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે અને એમાં પણ 3 ગુજરાતીઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં સમગ્ર રાજ્યમા આ ઘટનાની ચર્ચા થઈ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના ગુરુવારે રાત્રે ફાટા વિસ્તારના તરસાલી ખાતે બની હતી. આ લોકો કેદારનાથ તરફ મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન ભૂસ્ખલનમાં આ લોકો ફસાઈ ગયા. કાર પર લેન્ડસ્લાઇડ થયું હતુ. સતત વરસાદ પડી રહ્યો હતો જે બંધ થતાં શુક્રવારે તેમના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે હવે ઓળખ થતાં અમદાવાદમાં પરિવારમાં ભારે આક્રંદનો માહોલ જોવા મળી રહ્યો છે.