મહુડીનાં જૈન તીર્થધામમાં 45 લાખની સોનાની ચોરી મામલે મોટું અપડેટ, બન્ને ટ્ર્સ્ટીઓને હવે બરાબરની ભીંસ પડશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

મહુડીનાં સુપ્રસિદ્ધ જૈન તીર્થધામનો ચોરીનો મામલો હાલમાં ભારે ચર્ચામાં છે. કારણ કે 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોરતા બે ટ્ર્સ્ટીઓ હાલમાં ખુબ વગોવાઈ રહ્યા છે અને આખા ગુજરાતમાં એમની બદનામી પણ થી રહી છે. ત્યારે આ મામલે હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહુડીનાં સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં 45 લાખનું સોનાનું વરખ અને સોનાની ચેઈન ચોરવાના આરોપમાં પકડાયેલા બન્ને ટ્રસ્ટીઓની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી માણસા કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે બંને આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હાલમાં એ વાત પણ સામે આવી છે કે પોલીસે બધો જ સામાન પણ રિકવર કરી લીધો છે. મંદિરના બે ટ્રસ્ટીઓ એ સોનાના વરખ અને સોનાની ચેઇન સગેવગે કરી ટ્રસ્ટ સાથે ઉચાપત કરવા માગતા હતા પણ એ સફળ થયા નહીં અને આખરે શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. મંદિરના બે ટ્રસ્ટીઓએ 45 લાખનું સોનાનું વરખ સગેવગે કરી દેવા મામલે માણસા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો ત્યારે આ આખી વાત બહાર આવી હતી. મહુડી મંદિરમાં આઠ ટ્રસ્ટીઓ પૈકી ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ માણસા પોલીસ સ્ટેશનમાં અન્ય ટ્રસ્ટી નિલેશભાઈ મહેતા તથા સુનિલભાઈ મહેતા સામે મંદિરમાંથી ભગવાનનું સોનાનું વરખ અને સોનાની ચેઈન સહિત મંદિરના ભંડારમાંથી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.

માસ્કની જરૂર નથી, આખા દેશમાં મોકડ્રીલ… કોરોના પર આરોગ્ય મંત્રાલયની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યા?

27 રાજ્યો અને 14 દેશોના જમાઈ! આ વ્યક્તિએ 32 વર્ષમાં કર્યા 100 લગ્ન, કોઈ સાથે હજુ પણ નથી લીધા છૂટાછેડા

ભારતના સૌથી સુરક્ષિત રાજ્યમાં જબ્બર બાકોરું કરી બધાને દગો આપનાર કિરણ પટેલ વિશે A to Z માહિતી, સાંભળીને ચોંકી જશો

મંદિરની પરંપરા એવી છે કે ભગવાનનાં સોનાનો વરખ ધનતેરસનાં દિવસે ઉતારી ટ્રસ્ટીઓની હાજરીમાં ગણતરી કરીને ગાળવામાં આવે છે. જો કે આ વખતે સોનાનું વરખ 700/થી 800 ગ્રામ ઓછું નીકળતા ભૂપેન્દ્રભાઈને શંકા ગઈ હતી. અને મંદિરના ભંડારા માંથી રોકડ ચાઉ થયાની પણ શંકા હતી તેથી સીસીટીવી ચાલુ કરી દેવાયા હતા. જેમાં નિલેશ મહેતા અને સુનીલ મહેતા શંકાસ્પદ હિલચાલ કરતાં કેદ થયા અને આખો મામલો સામે આવ્યો હતો. આ દરમિયાન સ્ટાફના માણસોની પૂછતાંછમાં પણ થોડા દિવસો પહેલાં નિલેશભાઈ મહેતા અને સુનિલભાઈ મહેતાએ સ્ટાફની હાજરીમાં સોનાના વરખની ડોલ બહાર કાઢી હતી. તેની સાથે સોના ચાંદીની લગડીઓ પણ બહાર કાઢી હતી. હવે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને વધારે પૂછપરછ કરવામાં આવશે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly