160 કિલોમીટરની ઝડપે આવતી કારે અમદાવાદમાં 9 લોકોનો જીવતા જ મારી નાખ્યાં, રાજકોટના શખ્સે માનવતા નેવે મૂકીને કારનામું કર્યું

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News : અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત અમદાવાદમાં સૌથી મોટો ગણી શકાય તેવા અકસ્માતમાંનો છે. જેમાં 9 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનું મોત થયું છે. રાજપથ ક્લબ તરફથી આવી રહેલી કારે લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં રોડ પર લોહીના ખાબોચિયા ભરાય ગયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે ફિલ્મમાં જે દ્રશ્ય સર્જાય છે તેમ લોકો 25 ફૂટ 30 ફૂટ દૂર ફંગોળાયા હતા.છ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.

 

 

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સોલા સિવિલ લઈ જવામાં આવ્યા છે, તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

કેવી રીતે સર્જાયો અકસ્માત?

સૌથી પહેલા મહિન્દ્રા કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. એ પછી એ અસ્માત જોવા માટે ભેગા થયેલા ટોળા પર એક જેગુઆર કાર ચાલકે કાર ચલાવી દીધી હતી. જેના કારણે 9 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. 40થી 50 લોકોનું ટોળું ઈસ્કોન બ્રીજ પર એકઠું થયું હોવાનું જાણવા મળ્યું છે. મોડી રાત્રે બનેલી ઘટનામાં બ્રીજ પર મૃતદેહ દૂર દૂર સુધી પડ્યા હતા. આશરે 15 લોકો ઈજા પામ્યા છે. ટ્રાફિક વિભાગના પોલીસ કર્મી તપાસ હેતું આવેલા હતા એનું પણ આ ઘટનામાં મોત નીપજ્યું છે. આ અકસ્માતને અત્યાર સુધીનો સૌથી ભયાનક અકસ્માત માનવામાં આવે છે.

 

દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પરત કરનાર નિકિતા ઘાગે કર્યો મોટો ખુલાસો કહ્યું, “મારા બોલ્ડ કપડાં પહેવાનું કારણ ખુબ મોટું છે “

લગ્નનો સવાલ કર્યો તો તાપસી પન્નુએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું-હું અત્યારે પ્રેગનેન્ટ… ફેન્સના પણ હોશ ઉડી ગયાં

મેં તેને ઘણી વખત રંગે હાથે પકડ્યો – નીતુએ કર્યો ઋષિ કપૂર વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ, આખું બોલિવૂડ જોતું રહી ગયું

 

કોણ છે તથ્ય પટેલ?

અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સનો દીકરો છે. આરોપી તથ્ય પટેલ પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની માહિતી મળી છે. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં  સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને દુષ્કર્મ આચર્યુ હતું.

 

 


Share this Article