Politics News: ભાજપે ઉત્તર પ્રદેશની કૈસરગંજ લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની ટિકિટ રદ્દ કરીને તેમના પુત્ર કરણ ભૂષણ સિંહને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સાથે પાર્ટીએ ઉત્તર પ્રદેશની હાઈપ્રોફાઈલ લોકસભા સીટ રાયબરેલીથી પોતાના ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે.
ભાજપે યોગી સરકારમાં મંત્રી રહેલા દિનેશ પ્રતાપ સિંહને રાયબરેલીથી લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે. પાર્ટીએ ગુરુવારે લોકસભાના ઉમેદવારોની 17મી યાદી બહાર પાડી અને આ બે ઉમેદવારોના નામની જાહેરાત કરી. આ બંને ઉમેદવારોની જાહેરાતથી જૂની અટકળોને ફરીથી વેગ મળ્યો કે શું રાજપૂત સમાજ ભાજપના આ નિર્ણયો સાથે સહમત થશે?
રાજપૂત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે
વાસ્તવમાં, ભાજપે ગુરુવારે યુપીમાં બે ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. ખાસ વાત એ છે કે બંને ઉમેદવારો રાજપૂત સમાજના છે, આથી આ બે મોટી જાહેરાત બાદ રાજપૂત સમાજ ભાજપ સામે નરમ પડે તેવી શક્યતા છે. આ બંને બેઠકો પર રાજપૂત સમાજના મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ કારણે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.
સૂત્રોનું માનીએ તો ભાજપ દરેક જગ્યાએ રાજપૂત સમાજ સાથે વાતચીત કરી રહી છે અને તેની અસર આગામી દિવસોમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ આ રાજકીય ખળભળાટ મચી ગયો હતો. ઘણી જગ્યાએ રાજપૂત સમાજે તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જો કે આ પછી ભાજપ તરત જ એક્શનમાં આવી ગયું હતું.
ગરમીમાં સળગી રહ્યું છે ભારત, 5 દિવસ હીટવેવ આમ જ ચાલુ રહેશે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
બાપ રે બાપ: માત્ર 12 કલાકમાં 10,000 વખત વીજળી ત્રાટકી, આકાશમાંથી તબાહીનો વીડિયો જોઈ છાતી બેસી જશે!
50000 વર્ષથી આ તળાવનું પાણી હજું પણ નથી સુકાયું, લોનાર તળાવની કહાની સાંભળી ગોથું ખાઈ જશો
તમને જણાવી દઈએ કે પુરૂષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ભારે રાજકીય ખળભળાટ મચી ગયો હતો. તેમણે કહ્યું હતું કે બ્રિટિશ કાળમાં રાજા-મહારાજાઓ માથું નમાવતા હતા અને રોટી-બેટીનો સંબંધ પણ સ્થાપિત કરતા હતા, જ્યારે દલિત સમુદાયે એવું કર્યું નથી. જોકે મામલો વધી જતાં રૂપાલાએ માફી પણ માંગી હતી.