National News: તાજનગરી આગ્રા જનારા લોકો માટે સારા સમાચાર છે. તમે આજથી ત્રણ દિવસ માટે તાજને ફ્રીમાં જોઈ શકશો. બાદશાહ શાહજહાંના 369માં ઉર્સની યાદમાં આ સુવિધા આપવામાં આવી રહી છે. મંગળવારે, તેહખાનામાં સ્થિત શાહજહાં અને મુમતાઝની કબરોને ગુસ્લની વિધિ સાથે પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે.
બાદશાહ શાહજહાંનો 369મો ઉર્સ મંગળવારથી શરૂ થઈ રહ્યો છે. ત્રણ દિવસ સુધી ચાલનારા ઉર્સ દરમિયાન બપોરે 2 વાગ્યાથી તાજમહેલમાં સામાન્ય લોકોનો પ્રવેશ મફત રહેશે. સોમવારે ઉર્સની વ્યવસ્થા કરતી સમિતિની બેઠક મળી હતી. 6, 7 અને 8 ફેબ્રુઆરીએ પ્રવાસીઓને સ્મારકમાં મફત પ્રવેશ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ટિકિટ સામાન્ય દિવસોમાં ઉપલબ્ધ રહેશે
સામાન્ય દિવસોમાં ભારતીય પ્રવાસીઓને તાજમહેલ જોવા માટે 50 રૂપિયાની ટિકિટ ખરીદવી પડતી હતી. તાજમહેલમાં, શાહજહાં અને મુમતાઝ મહેલ બંનેની કબરો કબરના ભોંયરામાં આવેલી છે. સામાન્ય લોકોને આ કબરોની મુલાકાત લેવાની મંજૂરી નથી, પરંતુ ઉર્સના પ્રસંગે, શાહજહાં અને મુમતાઝની કબરોના ભોંયરાઓ દરેક માટે ખોલવામાં આવે છે. આ સમય દરમિયાન પ્રવાસીઓને વાસ્તવિક કબરો જોવાનો મોકો મળે છે. ઉર્સ પછી તેઓ ફરીથી બંધ કરવામાં આવે છે.
ઉર્સની ઉજવણી અંગે કોર્ટમાં પેન્ડિંગ કેસ
સોમવારે ઉર્સના આયોજન માટેની સમિતિની બેઠક મળી હતી. 6 અને 7 ફેબ્રુઆરીના રોજ બપોરે 2 વાગ્યાથી તાજમહેલમાં સામાન્ય લોકોનો પ્રવેશ ફ્રી રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન દક્ષિણના દરવાજા સાંજે બંધ કરી દેવામાં આવશે. 8 ફેબ્રુઆરીએ ત્રણેય દરવાજા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લા રહેશે.
નામ- જાનેમન, રોલ નંબર- I Love You, જવાબને બદલે ભોજપુરી ગીત, યુપીના છોકરાની બોગસ આન્સરશીટ થઈ વાયરલ!
નોંધનીય છે કે હિન્દુ મહાસભાએ સોમવારે ASI અધિકારીને એક મેમોરેન્ડમ આપીને કહ્યું કે ઉર્સનો મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. તેના પર પ્રતિબંધ હોવો જોઈએ. મહાસભાના સંજય જાટ, સૌરભ શર્મા અને અંકિત ચૌહાણે આરટીઆઈ દ્વારા પોલીસ કમિશનર, ડીએમને પૂછ્યું કે શું કલમ 144 લાગુ છે ત્યારે ઉર્સ માટે પરવાનગી આપવામાં આવી છે.