Ahmedabad News: છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેને પગલે હાઈકોર્ટ પણ આકરું વલણ બતાવી રહી છે. જો કે હવે હાઈકોર્ટના ઠપકાં બાદ દરેક જગ્યાએ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકા એક્શન લઈ રહી છે અને તાબડતોડ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં આ મામલે વધારે આકરી કાર્યવાહી થતી જોવા મળી રહી છે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પશુમાલિકોને જાહેર નોટિસ ફટકારી છે.
અમદાવાદના તંત્રએ જણાવ્યું કે પશુપાલકો/પશુમાલિક જોગ અંતિમ સૂચનાની જાહેર નોટિસ. પશુત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ/ પરમીટ મેળવવી આવશ્યક છે. જે અંતર્ગત પશુ રાખવા માંટે નિયમાનુસાર કબ્જો માલિકી/ભોગવટાની જગ્યા ન ધરાવતા પશુપાલકો/પશુમાલિકોને પોતાના પશુ અમદાવાદ શહેરની હદ બહાર તાકીદે ખસેડી લેવા અંતિમ ચેતવણી આપવામાં આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોટીસ ફટકારતાં જ ચારેકોર હાહાકાર મચી ગયો છે. કહેવામાં આવ્યું છે કે જો પશુ રાખવાની જગ્યા ન હોય તેમને લાયસન્સ નહી મળે તેમજ પશુ રાખવાની જગ્યા નહી હોય તેમને શહેરની બહાર પશુને લઈ જવા પડશે.
40,000 લડવૈયાઓ, સુરંગોનું ગુપ્ત નેટવર્ક… હમાસે ગાઝામાં ઇઝરાયલને ઘેરવા માટે બનાવી ખતરનાક યોજના?
9000 મોત, 23000 ઘાયલ, 10 અબજ ડોલરનું નુકસાન… 8 વર્ષ પહેલા પણ નેપાળ પર કુદરત રૂઠી હતી
જો કે હવે આગામી સમયમાં જ ખબર પડશે કે આખરે રખઢતા ઢોરનો નિકાલ આવે છે કે પછી ચાર પાંચ દિવસ પછી ફરીથી હતી એવી જ હાલત થઈ જશે!